Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 707

સાયન્સથી પણ મોટી શક્તિ છે સાયલન્સની શક્તિ

$
0
0

ચીજ એક છે પરંતુ તેની વૃત્તિ, વિચાર તથા ભાવનાઓ અલગ છે. પ્રથમના ભાવ પ્રશંસા યુક્ત છે, અર્થાત તે પુણ્ય આત્મા છે. બીજાના ભાવ અવગુણ ગ્રાહી છે તથા ઈર્ષ્યા-દ્વેશથી ભરેલા છે માટે તે સાધારણ મનુષ્ય આત્મા છે. ત્રીજાના ભાવ લાલચથી ભરેલા છે. તે વ્યક્તિ સ્વાર્થ, તૃષ્ણાઓ તથા ઈચ્છાઓથી રંગાયેલ છે, માટે તે પાપાત્મા છે. આ ત્રણે ઉદાહરણમાં આંખો તો નિર્લેપ છે પરંતુ આત્મા નિર્લેપ નથી. માટે જ કહેવાય છે કે હત્યા કરીને વ્યક્તિ છરી પર લાગેલ લોહીના ડાઘ ધોઈ શકે છે પરંતુ આત્મા પર છપાયેલ હિંસાના સંસ્કાર રૂપી ડાઘને નથી ધોઈ શકતો. વ્યક્તિ ચોરીથી ચીજ ખાઈને હાથ-મોં ધોઈ શકે છે પરંતુ આત્મા પર લાગેલ ચોરીના ડાઘ ને નહીં. કોઈ ગુનેગાર દુષ્કર્મ કરીને પીડીતને તન તથા મનથી ખતમ કરીને છુપાઈ શકે છે પરંતુ આત્માના ભયંકર સંસ્કારથી તે પીછો નથી છોડાવી શકતો. આથી વિકારના વશ થવાથી તેના સંસ્કાર આત્મામાં સુરક્ષિત થઈ જાય છે.

આ સંસ્કાર રૂપી નેગેટિવના પોઝિટિવ થવા પર તે પાપ જગ જાહેર થઈ જાય છે અને પાપ કરવા વાળી વ્યક્તિ તેનું ખરાબ ફળ ભોગવવા માટે અસહાય બની જાય છે. કોઈપણ પાપ કર્મના બે સાક્ષી હમેશા હોય છે. એક હું આત્મા પોતે અને બીજા પરમપિતા પરમાત્મા. બીજાના ધિકકારથી બચવા માટે સ્થાન છોડીને જઇ શકીએ છીએ. પરંતુ પોતાના ધિકકારથી બચવા માટેનું સ્થાન ત્રણેય લોકોમાં કોઈપણ જગ્યાએ નથી. ઈશ્વરની નજરથી બચવા માટેનું પણ કોઈ સ્થાન આજ સુધી બનેલ નથી કે નથી બની શકે તેમ નથી.

આથી દરેકે વારંવાર એ અભ્યાસ કરવો જોઈએ કે હું આ શરીર તથા કર્મેન્દ્રિયોની માલિક આત્મા છું, તેના દ્વારા સેવા કરાવવા વાળી હું આત્મા છું. આ કળયુગી શરીરને પુણ્યની કમાણીમાં લગાવવાનું છે. ગન્દી દ્રષ્ટિ- વૃતિ, આયથાર્થ બોલ, ચાલ-ચલનને વશ થઈ આ કર્મેન્દ્રિયોની ગુલામી નથી કરવાની. આ શરીરનું સૌથી મોટું ઘરેણું ઈશ્વરીય સેવા તથા માનવ સેવા જ છે. તેના માટે એકાંતમાં બેસીને પોતાને સુધારવાનું છે. યોગબળથી આપણા વિકર્મ વિનાશ કરવાના છે. બેદાગ બનાવવાનું છે.

વિજ્ઞાનના આ યુગમાં શરીરના ડાઘ દૂર કરવાની દવા મળે છે પરંતુ સવાલ એ છે કે શું વિજ્ઞાન પાસે એવી કોઈ દવા છે કે જેના દ્વારા આત્મા પર લાગેલ હત્યા ચોરી વિગેરે ના ડાઘ મટી જાય તથા આત્મા સતો પ્રધાન બની જાય. આજે વિજ્ઞાન પ્લાસ્ટિક સર્જરી દ્વારા કાળા ચહેરાને સફેદ, મોટી નાકને પાતળી બનાવી શકે છે, પરંતુ શું તે સારા કામોમાં બદલી શકે છે? તો આનો ઉત્તર છે- ‘ના’. સાયન્સથી પણ મોટી શક્તિ છે સાઈલેન્સની શક્તિ. અર્થાત આધ્યાત્મની તથા રાજયોગની શક્તિ. આ શાંતિની શક્તિ દ્વારા મનના મૌનની અવસ્થામાં આત્મા ચાંદ સિતારાથી પણ પાર અલૌકિક દુનિયામાં જઈને પરમપિતા પરમાત્માની સામે બેસે છે. જે દ્વારા તેના પર લાગેલ તમામ પ્રકારના ડાઘ નીકળી જાય છે. જેવી રીતે લેસર કિરણ શરીરના ન જોઇતા ભાગને સળગાવી દે છે કેવી રીતે ઈશ્વર પિતા દ્વારા પ્રાપ્ત ઈશ્વરીય બળ થી ભરપુર કિરણ પણ આત્માના સર્વ ડાઘ દૂર કરી તેને સુંદર બનાવી દે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)


Viewing all articles
Browse latest Browse all 707

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>