Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 713

શરીરનું દરેક અંગ આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે

$
0
0

એક વ્યક્તિ ખૂબ ક્રૂર પ્રકૃતિનો છે. તેની આંખોમાં હંમેશા લોહી જમા હોય છે. દરેક વ્યક્તિ તેનાથી ભય પામે છે. જીવનના છેલ્લા ક્ષણોમાં તે વ્યક્તિ નેત્રદાનની જાહેરાત કરે છે. તેના મૃત્યુ બાદ તેની આંખો જન્મથી અંધ સંતને બેસાડવામાં આવે છે. જેનાથી તે સંસારને જોવા માટે સમર્થ બની જાય છે. હવે તેજ આંખોથી કરુણા ટપકવા માંડે છે. અનેક લોકો તે સંત દ્વારા નજરથી નિહાલ થવા લાગે છે. અનેક લોકો તેમના દ્વારા દયા તથા દુઆની પ્રાપ્તિ કરીને પોતાને ધન્ય અનુભવ કરે છે. આટલું પરિવર્તન કેવી રીતે થઈ ગયું?

આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે આંખો ફક્ત એક યંત્ર છે. મનુષ્યને જોવા માટે એક સાધન માત્ર છે. પરંતુ આંખોનો માલિક કે તેના દ્વારા જોવા વાળી ચૈતન્ય શક્તિ આત્મા છે. એ આત્માનો જેવો ભાવ અથવા વૃત્તિ હોય છે તે જ આંખો દ્વારા પ્રગટ થાય છે. આ નિયમ શરીરની દરેક કર્મેન્દ્રિયો પર લાગુ પડે છે. શરીરનું દરેક અંગ, તમામ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે. આત્માના વિચાર શ્રેષ્ઠ હોય તો તે જ હાથ મલમ પટ્ટી કે દુવાઓ કમાવામાં લાગી શકે છે. જો આત્માના વિચાર ભ્રષ્ટ હોય તો તેજ હાથ દ્વારા મનુષ્ય કોઈનું ખૂન કરવું, ચોરી કરવી જેવા વિકર્મ પણ કરી શકે છે. માટે જ હાથ બાંધવા, આંખો કાઢી નાંખવી કે મોંને પટ્ટી બાંધવી વિગેરેની જરૂરિયાત નથી. જરૂરિયાત છે આત્માને શ્રેષ્ઠ વિચાર કરવાની તાલિમ આપવાની.


સંસારમાં અનેક પ્રકારના અભ્યાસક્રમ હોવા પર પણ આ પ્રકારના અભ્યાસક્રમનો ખૂબ અભાવ છે. જેનું પરિણામ આજે સમાજ ભોગવી રહેલ છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છેલ્લા 89 વર્ષ થી આત્માના વિચારો શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય કરી રહેલ છે. જેવી રીતે દહીને વલોવાથી માખણ તેની જાતેજ ઉપર આવી જાય છે તેવી રીતે ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરવાથી, મનમાં તેને વલોવાથી મહાન, સકારાત્મક વિચારો રૂપી માખણ પ્રાપ્ત થાય છે.

અંગ્રેજીમાં કહેવત છે I Think therefore I am ( હું છું તેનું પ્રમાણ છે કે હું વિચારું છું.) હું છું તેનું પ્રમાણ જોવું કે સાંભળવું નહીં પણ વિચાર કરવો તે છે. સાંભળવાની શક્તિ ન હોવા છતાં પણ હું આત્મા આ શરીરમાં રહી શકું છું. આત્માના વિચાર જ આંખ, મોં, હાથ વિગેરે દ્વારા પ્રગટ થાય છે. વિચાર સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો દ્વારા તે સ્થૂળ રીતે પ્રગટ થાય છે. આત્માના વિચાર જ્યારે મલીન થઈ જાય છે તો આત્મા પણ તમો પ્રધાન, પતિત બની જાય છે. આ કાળાપનને દૂર કરવા પ્રયત્ન કરવો તેજ આધ્યાત્મિક પુરુષાર્થ કહેવાય છે.

કોઈ સુંદર મકાનને જોઈને એક વ્યક્તિ વિચારે છે કે આ મકાનના માલિક ભાગ્યશાળી છે કે તેમને પૂર્વજો દ્વારા આટલું સુંદર મકાન વારસામાં મળેલ છે.

બીજી વ્યક્તિ વિચારે છે કે આ મકાનના માલિકે ધંધા કે નોકરીમાં બેઇમાનીથી પૈસા કમાઈને આ મકાન બનાવ્યું હશે. જ્યારે ત્રીજી વ્યક્તિ વિચાર છે કે આજે રાત્રે જો આ મકાનમાં ધાડ પાડવામાં આવે તો ઘણું ધન મળી શકે તેમ છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)


Viewing all articles
Browse latest Browse all 713

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>