Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 706

બુદ્ધિ રુપી સુક્ષ્મતારનું નિરંતર પરમાત્મા સાથે જોડાણ

$
0
0

જ્વાળામુખી સમાન આગની જ્વાળામાં લપેટાયેલ વિશ્વને રાહત આપવા માટે બ્રહ્માબાબા સતયુગી દુનિયાના નિર્માણ માટે ઈશ્વરીય માધ્યમ બની ગયા. પરમ પિતા શિવ પરમાત્મા તેમના મુખ દ્વારા દરરોજ ઈશ્વરીય જ્ઞાન આપવા લાગ્યા, જેના બળથી અનેક વ્યક્તિઓના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા.

આ સુખદાઇ, આહલાદક પરિવર્તનોની કથા જો લખવા બેસીએ તો અનેક પુસ્તકો છપાવવા પડે. તોફાન, આગ થી પણ ભયંકર આજની ફેશન, દેહની સજાવટ, જુઠી શાન વિગેરેને રોકવા માટે બ્રહ્મા બાબાએ અંધકારને દૂર કરવા વાળા નક્ષત્ર સમાન પોતાના પરિવાર, સમાજ તથા વિશ્વભરની અનેક આત્માઓને સચ્ચાઈ, સાદગી તથા ઊંચા વિચારોના પાઠ ભણાવ્યા. આપણે સાધુ સંન્યાસીઓને આગની ધૂણી ધખાવીને બેસતા જોયા છે. તેઓ આગને સતત સળગતી રાખવી તથા તેની સામે બેસવું તેને જ તપ માને છે. પરંતુ પ્યારે બ્રહ્મા બાબાએ તો શિવબાબા પ્રત્યે અતૂટ પ્રેમ તથા પરમાત્મા ની યાદ ને જ મહત્વ આપ્યું. બુદ્ધિ રુપી સૂક્ષ્મ તારને નિરંતર પરમાત્મા સાથે જોડેલો રાખ્યો. મરજીવા બન્યા પછી તેમની પ્રિતબુદ્ધિ બની ગઈ.

જ્યારે શરીર રૂપી વસ્ત્રનું ભાન તૂટી જાય છે તથા નિરંતર આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ જઈએ છીએ તો ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે અને ઈચ્છા માત્ર અવિદ્યા સ્થિતિ બની જઈએ છીએ. પ્યારે બ્રહ્મા બાબાએ તો પહેલા દિવસથી જ પોતાના શરીરને ભગવાનનો રથ બનાવી દીધું. મનને ભગવાનની યાદ,મનન-ચિંતનમાં લગાવી દીધું તથા ધન પણ અર્પણ કરી દીધું. તેઓ પહેલા દિવસ દિવસથીજ ઈચ્છા માત્રમ અવિદ્યા અવિદ્યા બની ગયા. હવે તેમને આત્માને જ સંપૂર્ણ બનાવવાનું લક્ષ્ય હતું. માટે જ તેઓ કહેતા હતા કે – ” બાળકો! આ અંતિમ જન્મના શરીરને કેટલા થીઘડા લાગ્યા છે! તેનું શું અભિમાન કરવું! કપડા પણ થીગડા વાળા પહેરો તો દેહ અભિમાન તૂટી જાય. તમોપ્રધાન તત્વોથી બનેલ આ પતીત વિકારી શરીરને બહુ સજાઓ નહીં. સાદગી તથા સત્યતાએ તેમના વ્યક્તિત્વને સાધારણ શરીર હોવા છતાં પણ એટલું તેજોમય બનાવી દીધું કે તેમના સ્પંદનો ચુંબકની જેમ સર્વને આકર્ષિત કરતા હતા, જેવી રીતે ગોળથી ભરેલ થેલી ગળી થઈ જાય છે તેવી જ રીતે બ્રહ્માબાબા પણ પ્યારે શિવબાબાને પોતાના રથના સારથી બનાવીને તેમના સમાન બની ગયા. તેમનો એક એક બોલ સત્ય બની જતો હતો.

પ્યારે બાબા સ્વાગત માટે ફૂલો વિગેરે લાવવાની પણ મનાઈ કરતા હતા. તેવો કહેતા કે પ્રકૃતિ પણ પ્રભુની બેટી છે, તેને પણ જરૂર વગર શા માટે ઉપયોગમાં લેવી? જેટલો ઓછો ઉપયોગ કરીશું તેટલી તે અત્યારે તથા સતયુગમાં પણ સેવક બનીને ખુબ સુખ આપશે. અહીં તો મનુષ્ય પ્રાપ્તિઓની ઈચ્છા કરે છે. પરંતુ સતયુગમાં તો સર્વ પ્રાપ્તિઓ દેવતાઓને સેવા કરવા માટે તત્પર રહેશે.

બાબા હંમેશા ઓછો ખર્ચ કરવા પર ધ્યાન દોરતા હતા. તેઓ કહેતા હતા કે પોતાના ભોજન પર વધુ ખર્ચો ન કરવો જોઈએ. જ્યારે દાળ સસ્તી હોય ત્યારે તેનો ઉપયોગ કરો. પ્યારા બાબા કોઈ પણ વધુ કિંમતની વસ્તુ પોતાના માટે પસંદ નહોતા કરતા. તેમનું મન તો હંમેશા સતયુગી દુનિયાના સતો પ્રધાન દ્રશ્યો તથા સતયુગી દુનિયાની ચીજોમાં રમણ કરતું હતું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)


Viewing all articles
Browse latest Browse all 706

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>