Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all 704 articles
Browse latest View live

ચતુર્થ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરઃ નર્મદા નદી અહીંયા વહે છે “ॐ”આકારમાં…

$
0
0

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. ભગવાન શિવ લિંગ સ્વરુપે બીરાજે છે. અને આપણા ત્યાં 12 જ્યોતિર્લિંગોનો પણ અનન્ય અને દિવ્ય મહિમા રહેલો છે. દરેક જ્યોતિર્લિંગનું અલગ મહત્વ અને અલગ મહાત્મ્ય છે. દરેક જ્યોતિર્લિંગ સાથે એક અદભૂત કથા જોડાયેલી છે. ત્યારે આવો આજે આપણે જાણીએ 12 જ્યોતિર્લિંગો પૈકીના ચોથા જ્યોતિર્લિંગ એવા ઓમકારેશ્વર મહાદેવના મહત્વ અને મહાત્મ્ય વિશે.12 જ્યોતિર્લિંગોમાં ચતુર્થ જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર મહાદેવ. આ મધ્યપ્રદેશના શિવપુરીમાં સ્થિત છે. અહીંયા બે જ્યોતિર્લિંગોની પૂજા કરવામાં આવે છે. ઓમકારેશ્વર અમે મમલેશ્વર. શિવમહાપુરાણના કોટિરુદ્રસંહિતાના 18માં અધ્યાયમાં આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ એક એવું જ્યોતિર્લિંગ છે કે જે નર્મદા નદીના ઉત્તરી તટ પર સ્થિત છે.

નર્મદા નદીના મધ્ય ઓમકાર પર્વત પર સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ હિંદુઓની પરમ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા માં નર્મદા સ્વયં ॐ ના આકારમાં વહે છે. હિંદુઓમાં તમામ તીર્થોના દર્શન બાદ ઓમકારેશ્વરના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે. તીર્થ યાત્રી તમામ તીર્થોનું જળ લાવીને ઓમકારેશ્વરમાં અર્પિત કરે છે, અને ત્યારબાદ જ તમામ તીર્થોની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું જે મંદિર છે તે પાંચ માળનું છે, જેના પ્રથમ માળ પર ભગવાન ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, ત્રીજા માળ પર સિદ્ધનાથ મહાદેવ બીરાજે છે, ચોથા માળ પર ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે અને પાંચમા માળ પર રાજેશ્વર મહાદેવ બિરાજમાન છે. ઓમકારેશ્વર મંદિરના સભામંડપમાં 60 મોટા સ્તંભ છે જે 15 ફૂટ ઉંચા છે. આ જ પરિસરમાં તીર્થયાત્રીઓ માટે ભોજનાલય ચલાવવામાં આવે છે જ્યાં ઓછા પૈસામાં સારુ ભોજન પ્રસાદી ભક્તોને પીરસવામાં આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ પ્રચલિત

એકવાર નારદજી ભ્રમણ કરતા-કરતા વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં પર્વતરાજ વિધ્યાંચલે નારદજીનું સ્વાગત કર્યું અને કહ્યું કે હું સર્વગુણ સંપન્ન છું, મારી પાસે બધું જ છે, મારી પાસે તમામ પ્રકારની સંપદા છે. વિંધ્યાચલની અભિમાનયુક્ત આ વાતો સાંભળીને નારદજીએ ઉભા રહીને ઉંડો શ્વાસ લીધો. ત્યારે વિંધ્યાચલે નારદજીને પૂછ્યું કે તમાને મારી પાસે કઈ કમી દેખાઈ કે જેને જોઈને તમે ઉંડો શ્વાસ લીધો? નારદજીએ વિંધ્યાચલને કહ્યું કે તમારી પાસે બધું જ છે પરંતુ તમે સુમેરુ પર્વતથી ઉંચા નથી. તે પર્વતનો ભાગ દેવતાઓના લોક સુધી પહોંચ્યો છે અને તમારા શિખરનો ભાગ ત્યાં સુધી ક્યારેય નહી પહોંચી શકે. આવું કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ ત્યાં ઉભેલા વિંધ્યાચલને ખૂબ દુઃખ થયું અને તે પર્વત હતાશ થયો.ત્યારે જ વિંધ્યાચલ પર્વતે ભગવાન શિવની આરાધના કરવાનો નિર્ણય કર્યો. જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે, ત્યાં તેમણે શિવલીંગની સ્થાપના કરી અને સતત 6 મહિના સુધી પ્રસન્ન મનથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. આ પ્રકારની વિંધ્યાચલની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયાં. તેમણે વિંધ્યને કહ્યું કે વત્સ હું તારા પર પ્રસન્ન થયો છું. તું કોઈપણ વરદાન માંગી શકે છે. ત્યારે વિંધ્યએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે મને સારી બુદ્ધી આપો, કે જે મારા સર્વ કાર્યોને સિદ્ધ કરે અને મારી સતત વૃદ્ધિ થતી રહે. ભગવાન શિવે વરદાન આપ્યું. આ સમયે દેવતાઓ અને ઋષિઓ પણ ઉપસ્થિત થયા અને ભગવાન શિવની પૂજા કરીને ભગવાનને કહ્યુંઃ કે હે દેવોના દેવ મહાદેવ, હે ભોળાનાથ તમે હંમેશા માટે અહીંયા બિરાજમાન થઈ જાઓ.

ભગવાન શિવે આ તેઓની વાતનો સ્વિકાર કર્યો અને આ સ્થળે એક જ ઓમકાર લિંગ હતું જે બે સ્વરુપોમાં વહેંચાઈ ગયું. પ્રણવમાં જે ભગવાન શિવ હતાં તે ઓમકાર નામથી ઓળખાયા અને પાર્થિવ લિંગમાં જે શિવજ્યોતિ પ્રગટી તેનું નામ પરમેશ્વર, અમરેશ્વર-મમળેશ્વર નામ પ્રચલિત બન્યું. આજે પણ નદીની વચ્ચે અમરેશ્વરનું મુખ્ય જ્યોતિર્લિંગ છે. અને ગામના કિનારા પાસે મમલેશ્વર જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાળુઓ બંન્ને સ્થાનોએ ખૂબ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક દર્શનાર્થે આવે છે.

ઓમકારેશ્વર મહાદેવ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો…

હિંદુ ધર્મના પુનરુદ્ધારક જગદગુરુ આદિશંકરાચાર્યએ આ જ સ્થળે નાની વયે તેમના ગુરુ ગોવિંદ ભગવત પાદાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. અગસ્ત્ય ઋષી અને ગુરુ નાનકદેવની તપસ્યાનું સ્થળ એટલે પણ ઓમકારેશ્વર.

અહીંયા જ થઈ ॐ શબ્દની ઉત્પત્તિ…

પુરાણોમાં વાયુપુરાણ અને શિવમહાપુરાણમાં ઓમકારેશ્વર મહાદેવનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે આ જ મંદિરમાં ભગવાન શિવના પરમભક્ત ભગવાન કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુબેરને સ્નાન કરવા માટે અહીંયા ભહવાન શિવે પોતાની જટામાંથી કાવેરી નદી ઉત્પન્ન કરી હતી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ॐ ના આકારમાં છે અને એટલા માટે તેમને ॐકારેશ્વર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીંયા જ ॐ શબ્દની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મુખથી થઈ હતી.

ભગવાન શિવ અહીંયા શયન માટે આવે છે…

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગો પૈકીનું એકમાત્ર જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભગવાન શિવ શયન કરવા માટે આવે છે. મંદિરના પુજારીઓ અનુસાર શિવ ભક્ત અહીંયા વિશેષ રુપથી ભગવાન શિવના શયન દર્શન કરવા માટે આવે છે. માન્યતા એપણ છે કે ભગવાન શિવ સાથે અહીંયા માતા પાર્વતી પણ રહે છે.

ચોપાટ મૂકવાનું વિશેષ મહત્વ…

આમ તો ભગવાન શિવના વિશ્વભરમાં અગણીત મંદિરો છે પરંતુ આ મંદિરનું એક વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર મંદિરમાં ભગવાન શિવ અને જગદંબા માતા પાર્વતી માં અહીંયા આવીને ચોપાટ રમે છે.આ ક્રમ સદિઓથી ચાલ્યો આવે છે. નર્મદા કીનારે ઓમકાર પર્વત પર બનેલું ઓમકારેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગો પૈકી એક છે. મંદિરના પુજારી અનુસાર માન્યતા છે કે અહીંયા રોજ ભગવાન શિવ અને માતા પાર્વતી અહીંયા આવીને ચોપાટ રમે છે. શયન આરતી બાદ જ્યોતિર્લિંગ સામે રોજ ચોપાટ મુકવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પુજારીએ જણાવ્યું કે રાત્રીના સમયે અહીંયા કોઈપણ વ્યક્તિ આવી શકતું નથી, પરંતુ ઘણીવાર અહીંયા ચોપાટના પાસા એવી રીતે વિખેરાયેલા મળે છે કે જાણે અહીંયા આવીને કોઈ ચોપાટ રમ્યું હોય.દર વર્ષે શિવરાત્રીના રોજ ભગવાન શિવ માટે નવા ચોપાટ લાવવામાં આવે છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આદિકાળથી સોળ સોમવારની પરંપરા ચાલી આવે છે. સોળ સોમવારની વ્રત કથામાં ભગવાન શિવ અને જગદંબા માતા પાર્વતીના ચોપાટ રમવાનો ઉલ્લેખ મળે છે.

ઓમકારેશ્વર બાબાની શાહી સવારી….

ઓમકાર બાબા અને મમલેશ્વર ભગવાનને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને વાજતે-ગાજતે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે.

દર સોમવારે થનાર આ આયોજન શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વિશિષ્ટ હોય છે.તેમના આરાધ્યના દર્શન માટે શહેરમાં દરેક તરફ ભક્તોની ભીડ જામે છે. તો પછી છેલ્લાં સોમવારના મનોહર દ્રશ્યનું તો શું કહેવું. છેલ્લાં સોમવારના દિવસે અહીં ગુલાલ હોળી રમવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ગુલાલથી ભરાઇ જાય છે.

સ્થાન

આ સ્થળ ભારતના મધ્ય પ્રદેશના ખાંડવા જિલ્લામાં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિ.મી દૂર આવેલું છે. આ સ્થળ પવિત્ર નદી નર્મદાથી બનેલું છે. આ નદીએ ભારતની પવિત્ર નદીઓમાંની એક મનાય છે જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે.વાહન વ્યવહાર

આ સ્થળ ટાપુ પર આવેલું હોવાથી અહીંયા પહોંચવા માટે બોટ ઉપલબ્ધ છે આ ઉપરાંત બે પુલ દ્વારા પણ અહીં પહોંચી શકાય છે.

હવાઈ માર્ગ : ઈંદોર હવાઈ મથક ૯૯ કિમી, ઉજ્જૈન હવાઈ મથક ૧૩૩ કિમી દૂર.

રેલ માર્ગ: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલવેની રતલામ -ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. પણ તે મુખ્ય લાઈન પર નથી. મુંબઈ અને દીલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે જે અહીંથી ૭૭ કિમી દૂર છે.

રોડ માર્ગ: ઓમકારેશ્વર મધ્ય પ્રદેશના મુખ્ય શહેરો અને ગામડાઓથી રસ્તા માર્ગે જોડાયેલું છે. ઈંદોર, ઉજ્જૈન, ખાંડવા (૬૧ કિમી) અને ઓમકારેશ્વર રોડથી નિયમિતે બસ સેવા ઉપલબ્ધ છે. ખાંડવા સ્ટેશનેથી ઓમકારેશ્વર પહોંચવા ૨.૫ કલાક લાગે છે. ખાંડવાથી ઓમકારેશ્વર જતાં રસ્તામાં ડાબી તરફ ગાયક કિશોર કુમારનું સ્મારક જોઈ શકાય છે.


ભગવાન બુદ્ધના શબ્દો: મનુષ્ય જીવન અતિદુર્લભ! ધર્મશ્રવણ અતિ ઉત્તમ!

$
0
0

ચ્છાઓ અને અજ્ઞાનતામાંથી અસંતોષ જન્મે છે, આ અસંતોષ દુઃખ બને છે. સંસાર માત્ર અનિશ્ચિત છે, દરેક પ્રાણી જીવને જન્મ મરણમાંથી પસાર થવું પડે છે. શરીર પણ આપણું સગું રહેતું નથી. શરીરને પણ દુઃખ અને રોગોમાંથી પસાર થવું જ પડે છે. કોઈ રાજા છે તો તેને પણ મૃત્યુ મળે છે, કોઈ ધનિક છે તો તેને પણ મૃત્યુ મળે છે, સુંદર રથના પૈડા પણ સમય આવ્યે ઘસાઈ જાય છે, તેમ આ શરીર પણ સમય આવ્યે રોગમય બની જાય છે. પરંતુ સુખપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરેલ ધર્મ અને સારા કર્મ તેમ જ રહે છે.

જેમ આભે અડતા મોટા પર્વત એકબીજાને ભેટે છે, તેમ મૃત્યુ સમય આવ્યે દરેક જીવને પોતાની અંદર સમાવી લે છે. રાજા, પ્રજા, રાગી, વૈરાગી કોઈ પણ મૃત્યુ સામે ટકી શકતું નથી, કોઈ ગુફામાં સંતાઈને બેઠેલાને પણ સમય આવ્યે મૃત્યુ શોધી લે છે અને તેને દેહ ત્યાગ કરવો પડે છે. હાથીના ઝુંડ, મોટા રથ અને મોટી સેના વડે પણ મૃત્યુ ટાળી શકાતું નથી, સોના અને જમીન વડે પણ મૃત્યુ ખરીદી શકાતું નથી. માટે જ બુદ્ધિમાન અને ધર્મી મનુષ્ય સદા જાગ્રત રહીને ધર્મમાં રત રહે છે, મન, વચન અને કર્મ વડે તે સમગ્ર જગતનું હિત કરતા કરતા પોતાના જીવનું પણ કલ્યાણ કરે છે. આવો બુદ્ધિમાન મનુષ્ય અહી અને પછી પરલોકમાં પણ સુખેથી રહે છે.

મનુષ્યને જયારે પોતાના જ કુકર્મનો બદલો મળે છે ત્યારે તે ડઘાઈ જાય છે, શરણ શોધવા અહી તહી ભટકે છે. જયારે અંત સમયે મૃત્યુનો દેવતા તેને પૂછે છે કે તે જગતમાં કેડથી વળી ગયેલા શરીર, તૂટીગયેલા દાંત, ચાલ્યા ગયેલા વાળ, ચીમળી ગયેલ ત્વચા, ઉભો ના થઇ શકે તેવો અશક્ત મનુષ્ય ના જોયા? તે ના જોયું કે એક સમય એવો આવે છે કે જયારે મનુષ્યને બીજા લોકો ઊંચકીને ખાટલામાં મુકે છે? જો તે આ બધું જોયું તો ક્યારેય તને સારા કર્મ કરવાનો વિચાર ના આવ્યો? તારી ગતિનો તે ક્યારેય વિચાર ના કર્યો?

ઘમંડ, આળસ,અશ્રદ્ધા મનુષ્યને ધર્મથી વિમુખ કરે છે. ધર્મ કોઈનો પોતાનો નથી, જે ધર્મને સેવે છે તે ધાર્મિક બનીને પોતાનું કલ્યાણ કરે છે. જોતમે પોતાનું કલ્યાણ ઇચ્છતા હોવ તો તમારે ધર્મ પાલન અને ઉત્તમ આચરણમાં લાગી જવું જોઈએ, તાના સિવાય કોઈ માર્ગ નથી. એક ક્ષણ પણ બગાડવી તમને અનેકગણું નુકસાન કરી શકે છે. ઘણા શ્રમ અને મહેનતથી મનુષ્યે ધર્મનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે, સતત તોળાતા મૃત્યુના ભય સામે, અનિત્ય સંસાર અને ક્ષણિક સુખોની સામે માત્ર ધર્મ જ તેનું રક્ષણ કરી શકે છે.

જેમ હરણ વીણાના સંગીતને સાંભળે તેમ ધર્મનું શ્રવણ કરવું જોઈએ. એક એક કરીને કોઈ દરેક ગાયને દિશા બતાવે તેમ ધર્મની એક એક રુચા પર મનન કરવું જોઈએ. જેમ અબોલ મનુષ્ય એક એક કોળીયો ચાખીને ખાય તેમ ધર્મની દરેક રુચા પર ધ્યાનમગ્ન થઈને ઊંડાણથી વિચાર કરવો જોઈએ. જેમ કપિલા ગાય આખા મેદાનમાં ધીરે ધીરે ફરે, તેમ ધર્મની દરેક રુચા પર મનુષ્ય ધીરે ધીરે આચરણ કરે. જેમ વાદળા ખસતા સૂર્ય પ્રકાશે, તેમ ધર્મી મનુષ્યે ધાર્મિક રુચાઓના અર્થ સુધી પહોંચવું જોઈએ.

મતલબ વગર યાદ રાખવું નકામું હોય છે, મતલબ યાદ રાખવો પણ રુચા ભૂલી જવી પણ તકલીફ આપે છે. સમજણ હોય તો જ મતલબ અને રુચા મનુષ્યને આનંદ આપે છે, મનુષ્ય જીવન અતિદુર્લભ છે. કોઈ કાચબો દરિયાના તળેથી સપાટી પર આવે અને તેને કોઈ તરણું મળી જાય અને તેની પર બેસીને કિનારે પહોંચે તેવું દુર્લભ છે મનુષ્ય જીવન.

પાણી પર દોરેલા ચિત્રની જેમ આપણો ભૂતકાળ ક્યારેય પાછો નથી આવતો. માન-અપમાન, સફળતા-નિષ્ફળતા કેવા અનિત્ય છે! અને મૃત્યુ પણ કેવું અનિત્ય અતિથી છે! અનિત્ય સંસારમાં ભવિષ્ય વિષે અંદાજ કાઢવો એ સૂકાયેલ નદીમાં જાળ પાથરીને બેસવા જેવું છે. વર્તમાનમાત્ર જ મનુષ્યના હાથમાં હોય છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ માત્ર ને માત્ર ધર્મ શ્રવણ જ હશે!

નીરવ રંજન

ત્ર્યંબકેશ્વર મહાદેવઃ ગૌતમ ઋષિની મહાતપશ્ચર્યાનું તીર્થસ્મરણ

$
0
0

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ પ્રિય હોવાથી આ મહિનો ભગવાન શિવની ભક્તિનો મહિનો ગણાય છે. શિવ ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. ત્યારે શ્રાવણ માસના આ પવિત્ર મહિનામાં આપણે આજે યાત્રા કરવી છે ત્ર્યંબકેશ્વર મહાદેવની. તો આવો દર્શન કરીએ ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવના અને જાણીએ ભગવાન ત્ર્યંબકેશ્વરના મહાત્મ્ય વિશે…

ત્ર્યંબકેશ્વર મહાદેવના પ્રાગટ્યની કથા

મહારાષ્ટ્રના નાસિક શહેરથી ૨૮ કિમીના અંતરે આવેલું અને સહ્યાદ્રિ પર્વતમાળામાં બ્રહ્મગિરિ પર્વતની ગોદમાં આવેલું સ્થળ એટલે ત્ર્યંબકેશ્વર કે જ્યાં ત્રણ દેવો- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એકસાથે વસે છે. નાસિકથી ત્ર્યંબકેશ્વરની મુસાફરી રોમાંચક અને આનંદ આપનારી છે. વાંકાચૂકા રસ્તા, નાની પર્વતમાળાના ઢોળાવો આંખો સમક્ષ અનોખું દ્રશ્ય રચે છે. ત્ર્યંબકેશ્વર, ગંગાજી અને ગોદાવરી એકબીજા સાથે દિવ્ય રીતે સંકળાયેલા છે.

પૌરાણિક કાળમાં આ વિસ્તારમાં આવેલા બ્રહ્મગિરિ પર્વતમાળામાં ગૌતમ ઋષિ અને તેમના પત્ની અહલ્યાજી અહીંયા વસવાટ કરતા હતાં. એક સમયે આ વિસ્તારમાં ઘણા લાંબા સમય સુધી વરસાદ ન પડતાં પશુ-પક્ષી, મનુષ્ય એમ સહુકોઈ આકુળવ્યાકુળ થઈ ગયાં. ઘણા પશુ-પક્ષીઓ આ સ્થાન છોડીને અન્ય જગ્યાએ જવા લાગ્યા. આનાથી દુઃખી થઈને ગૌતમ ઋષિએ વરુણ દેવને રીઝવવા માટે કઠોર તપ કર્યું. ગૌતમઋષિએ આ વિસ્તારમાં પાણી મળી રહે તેવું વરદાન માંગ્યું. વરુણદેવે તે વરદાન માન્ય રાખ્યું. વરુણદેવની આજ્ઞાથી ગૌતમ ઋષિએ પોતાના હાથોથી ઉંડો ખાડો ખોદ્યો. આ ખાડામાં દિવ્ય શક્તિથી પાણીનું આગમન થયું. વરુણદેવે ગૌતમ ઋષિને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારા પુણ્યના પ્રતાપથી આ સ્થળ અક્ષય જળવાયુ તીર્થ બનશે અને તમારા નામથી જ આ જાણીતું બનશે. યજ્ઞ, હવન, તપ, દાન, શ્રદ્ધા અને દેવપૂજા માટે આ સ્થળ ઘણું જ ફળદાયી બનશે. આ વરદાનથી આ સ્થળે પાણીની કોઈ જ અછત ન રહી.

ત્યાર બાદ લાંબા સમયની વાત છે. એકવાર ગૌતમ ઋષિના શિષ્યો આ ખાડામાંથી પાણી લેવા જાય છે. આ જ સમયે બીજા ઋષિઓની પત્નીઓ પણ આ સ્થળે પાણી ભરવા માટે આવે છે અને પહેલાં પાણી લેવાની જીદ પકડે છે. આથી ગૌતમ ઋષિના શિષ્યો ઋષિપત્ની અહલ્યાને બોલાવીને પહેલાં પાણી લેવાની વ્યવસ્થા કરાવી આપે છે. આથી અન્યઋષિના પત્નીઓને પોતાનું અપમાન થયું હોવાનું લાગે છે અને આ વાત તેઓ ઋષિઓને કહે છે. આ વાત સાંભળતા જ ઋષિઓ ક્રોધિત થઈને ગૌતમઋષિની સામે અપમાનનો બદલો લેવા માટે વિઘ્નહર્તા ગજાનન ગણપતિ મહારાજનું તપ કરે છે.

ઋષિઓની આકરી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિઘ્નહર્તા ગણેશજી પ્રગટ થઈને તેમને વરદાન માંગવાનું કહે છે. આ ઋષિઓ ગૌતમઋષિનું અનિષ્ટ થાય અને તેમને અપમાનિત થઈને જવું પડે તેવું વરદાન માગે છે. ગણેશજી ગૌતમઋષિ માટે આવું વરદાન ન માંગવા સમજાવે છે અને જણાવે છે કે ગૌતમ ઋષિ એક પરોપકારી મહાત્મા છે. આમ છતાં, ઋષિઓ પોતાની જીદ પર અડગ રહેતાં આખરે ગણેશજીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરવો પડે છે.

ગણેશજીએ આપેલા વરદાનની અસરો ગૌતમઋષિ પર પડવાની શરુઆત થાય છે. ગૌતમઋષિના આંગણે એક દિવસ એક કમજોર અને માંદલી ગાય આવીને ઉભી રહે છે. ઋષિ આ ગાયને ખસેડવા માટે સળગતું લાકડું મારે છે અને તરત જ ગાયનું અવસાન થાય છે. આ વાતની ખબર પડતાં જ અન્ય ઋષિઓ એકત્ર થઈ ગયા અને ગૌહત્યાનું પાપ ગૌતમ ઋષિના માથે નાંખ્યું અને અપમાનિત વચનો પણ સંભળાવ્યાં. આ સ્થળને શુદ્ધ રાખવા અને ગૌ-હત્યાના પાપથી બચવા માટે ઋષિઓએ ગૌતમઋષિને આ સ્થળેથી ચાલ્યા જવા માટે જણાવ્યું. આવું થતાં દુઃખી હ્યદયે ગૌતમ ઋષિ આ સ્થળ છોડીને ચાલ્યાં ગયાં.

આ ઋષિઓએ ગૌતમઋષિને ઉપાય પણ સૂચવ્યો, કે જો તમારે ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવું હોય તો પોતાના તપોબળથી ગંગાજીને આ સ્થળે લાવીને તેમાં સ્નાન કરવું અને કોટિ સંખ્યામાં પાર્થિવ લિંગો બનાવીને ભગવાન ભોળાનાથની પૂજા કરવી. ગૌતમ ઋષિએ આ ઋષિઓએ સૂચવ્યા અનુસાર તપસ્યા કરી. આથી ભગવાન શિવ ગૌતમ ઋષિ સમક્ષ પ્રગટ થયાં. ભગવાન મહાદેવે ગૌતમ ઋષિને જણાવ્યું કે તેઓ એક શુદ્ધ મહાત્મા છે. અને તેમણે કોઈ જ પાપ કર્યું નથી. ગૌતમ ઋષિ સાથે અન્યાય થયો છે અને તેઓ નિષ્કલંક છે તેમ પણ ભગવાન ભોળાનાથે જણાવ્યું.

ગૌતમ ઋષિના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવે વરદાન માગવા જણાવ્યું. આથી સમસ્ત સંસારને લાભ થાય માટે ગૌતમઋષfએ ભગવાન ભોળાનાથ પાસે માતા ગંગાનું અહીંયા અવતરણ કરાવવાનું અને ગંગાજીના જળ દ્વારા પોતાને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી. ગંગાજીએ અવતરણ કરીને ગૌતમ ઋષિને પવિત્ર કર્યા. પરંતુ ફરીવાર સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી ભગવાન મહાદેવે ગંગાજીને કળિયુગ સુધી પૃથ્વી પર જ રહેવા જણાવ્યું. ગંગાજીએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે તેઓ પણ આ સમય દરમિયાન માતા પાર્વતીજી સાથે પૃથ્વી પર જ વસવાટ કરે. આથી જગતના કલ્યાણ માટે ભગવાન મહાદેવે ગંગાજીની આ વાતને સ્વીકારી. અને પ્રગટ થયાં ત્ર્યંબકેશ્વર મહાદેવ.

જ્યોર્તિલિંગની વિશેષતા

અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તાં નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનાર શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

મંદિરમાં પૂજા

શ્રી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દિવસમાં ત્રણ વાર પૂજા થાય છે, જેમાં સવારે ૭.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન, બપોરે ૧.૦૦ કલાકે અને સાંજે ૭.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન પૂજા-વિધિ થાય છે. રાત્રે શયનઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે ભગવાન ત્ર્યંબકેશ્વરનાં પાંચ મુખની છાપ ધરાવતા ત્ર્યંબકેશ્વરના મહોરને લઈને બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાક દરમિયાન પાલખી નીકળે છે અને બાજુમાં કુશાવ્રત તીર્થમાં જાય છે, જ્યાં અભિષેક કરવામાં આવે છે અને પાલખી મંદિરમાં પરત આવે છે. દર વર્ષે શિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા અને દશેરાના દિવસે આ પાલખીમાં ભગવાન ત્ર્યંબકેશ્વરના સુવર્ણ મહોરાને બેસાડવામાં આવે છે.

પેશવાઓએ ભગવાન ત્ર્યંબકેશ્વરને અર્પણ કરેલો સુવર્ણ મુગટ દર સોમવારે બપોરે ૪.૩૦ કલાકે દર્શનાર્થીઓને બતાવવા માટે ટ્રસ્ટની ઓફિસમાં મૂકવામાં આવે છે.

પૂજા-વિધિ કેવી રીતે થાય છે?

મંદિરના ગર્ભગૃહમાં પૂજા-વિધિ કરવા માટે પુરુષોએ ધોતી પહેરીને પ્રવેશવું પડે છે. મંદિરમાં ઉપલબ્ધ પુરોહિતો શ્રદ્ધાળુઓની શક્તિ પ્રમાણે પૂજા-વિધિ મંદિરના સભામંડપમાં બેસીને કરાવતા હોય છે, જેમાં રુદ્રાભિષેકનો સંકલ્પ, રુદ્રાભિષેક સહિતની પૂજા-વિધીનો સમાવેશ થાય છે. આ માટે રૂ.51 થી લઈને શ્રદ્ધાળુઓ પોતાની આર્થિક શક્તિ પ્રમાણે દક્ષિણા પૂજા-વિધિ માટે આપી શકે છે. યાત્રાળુઓને ધસારાને ધ્યાનમાં રાખીને કેટલાક સમયથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

શ્રી કુશાવ્રત તીર્થ અને સિંહસ્થ કુંભમેળો

બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી ઊતરીને ગોદાવરી નદી કુશાવ્રત તીર્થમાં મળી જાય છે. શ્રી કુશાવ્રત તીર્થમાં સ્નાન કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા છે. આથી શ્રી ત્ર્યંબકેશ્વરમાં દર્શને આવતા ઘણા શ્રદ્ધાળુઓ કુશાવ્રત ડૂબકી લગાવવાનું કે પાણી માથે ચડાવવાનું ચૂકતા નથી.

કુશાવ્રત તીર્થના હાલના માળખાને ઈ.સ. ૧૬૯૦-૯૧માં શ્રી રાવજી બાલાસાહેબે તૈયાર કરાવ્યું હતું. તે જમાનામાં આ સ્થળના બાંધકામનો ખર્ચ રૂ. આઠ લાખ જેટલો થયો હતો. કુશાવ્રત તીર્થના ચારેય ખૂણે મંદિરના ઘુમ્મટ જેવો આકાર છે. અન્નાસાહેબ વિચુરકરે સુવર્ણનો એક ઘુમ્મટ પણ અર્પણ કર્યો હતો. ૨૧ ફૂટની ઊંડાઈ ધરાવતો આ કુંડ પગથિયાં પાસે છીછરો છે. સ્નાન કર્યા બાદ કપડાં બદલવાની પણ વ્યવસ્થા પણ ત્યાં ઉપ્લબ્ધ છે. સિંહસ્થ કુંભમેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ કુશાવ્રત તીર્થમાં ડૂબકી લગાવવા આવે છે.

નારાયણબલિ-કાળસર્પયોગ પૂજા

ત્ર્યંબકેશ્વર તીર્થક્ષેત્રમાં શ્રી નારાયણબલિ અને કાળસર્પયોગ પૂજાવિધિ કરાવવા ઘણા લોકો આવે છે. પિતૃઓને શ્રાદ્ધ માટે આ સ્થળ આદર્શ હોવાનું માનવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર તીર્થ ક્ષેત્રમાં ગૌતમી ગોદાવરીને અહલ્યા નામની એક નાની નદી આવીને મળે છે. આ સંગમસ્થળ પર નાગનારાયણ-નાગનારાયણબલ અથવા નારાયણબલિ નામની ખાસ વિધિ કરવા ઘણા લોકો આવે છે. આ માટે એવું કહેવાય છે કે પિતૃદોષને કારણે કેટલાક લોકોને સંતાનપ્રાપ્તિ થતી નથી. આથી સંતાનપ્રાપ્તિ માટે આ વિધિ કરાવવામાં આવે છે.

કેવી રીતે જવું?

અમદાવાદથી નાસિક કે ત્ર્યંબકેશ્વર જવા માટે સીધો  રેલવે માર્ગ ઉપલબ્ધ નથી. આથી, યાત્રાળુએ સડકમાર્ગે જ જવું પડે. અમદાવાદથી વાયા સૂરત, સાપુતારા, નાસિક થઈને  ત્ર્યંબકેશ્વર જઈ શકાય. અમદાવાદથી સુરતનું અંતર ૨૨૦ કિમી,  સુરતથી સાપુતારાનું અંતર ૨૦૦ કિમી, સાપુતારાથી નાસિકનું  અંતર ૭૭ કિમી અને નાસિકથી ત્ર્યંબકેશ્વર વચ્ચેનું અંતર ૨૮ કિમી  છે. આમ, અમદાવાદથી ત્ર્યંબકેશ્વર વચ્ચેનું ૫૨૫ કિમીનું અંતર કાપતાં ૧૦ થી ૧૧ કલાક થાય છે.

ઘણા યાત્રાળુઓ નાસિક-શીરડી-ત્ર્યંબકેશ્વરની યાત્રા એકસાથે કરે છે. નાસિક અને શિરડી વચ્ચેનું અંતર ૧૦૫ કિમી છે.  શિરડી માટે જોકે અમદાવાદથી રેલવેમાર્ગ છે. અમદાવાદથી સપ્તાહમાં એક દિવસ ઉપડતી બેંગ્લોર એક્સપ્રેસમાં કોપરગાંવ ઊતરવું પડે છે. કોપરગાંવથી શિરડીનું અંતર ૧૫ કિમી છે અને પૂરતી માત્રામાં વાહનવ્યવહાર પણ ઉપલબ્ધ છે. અમદાવાદથી નાસિકની ટ્રાવેલ્સની બસો દરરોજ ઊપડે છે. આ ઉપરાંત, સૂરતથી પણ મહારાષ્ટ્ર રાજયની એસટી બસો નાસિક જાય છે. નાસિકથી ઘણાં વાહનો ત્ર્યંબકેશ્વર જવા માટે ઉપલબ્ધ છે.

હાર્દિક વ્યાસ

જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મહાદેવનો મહિમા, અહીં છે માતાજીની હાર્દપીઠ…

$
0
0

વિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણે અલગઅલગ જ્યોતિર્લિંગોનો દિવ્ય મહિમા જાણીએ છીએ. શિવ મહાપુરાણ અનુસાર ભારતમાં આમ તો ઘણાં બધાં સ્વયંભૂ મહાદેવના મંદિરો છે, જ્યોતિર્લિંગો છે પરંતુ આ પૈકી 12 જ્યોતિર્લિંગ પ્રમુખ છે. ત્યારે આવો આજે આપણે 12 જ્યોતિર્લિંગો પૈકી નવમું સ્થાન ધરાવતાં વૈધનાથ મહાદેવ જ્યોતિર્લિંગના મહાત્મ્યની કથા જાણીએ.

12 જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન વૈધનાથ મહાદેવનું છે, જે ઝારખંડના દેવધર નામક સ્થાન પર સ્થિત છે. આના સાથે જોડાયેલી કથા શિવપુરાણના કોટિરુદ્રસંહિતામાં વર્ણવવામાં આવી છે. આ મામલે મતમતાંતર છે. પ્રથમ દેવધર ઝારખંડ, બીજું પરલી મહારાષ્ટ્ર, ત્રીજું હિમાચલ પ્રદેશ જણાવવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગો અનુસાર આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પરલીમાં સ્થિત છે, શિવ મહાપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગ સીતાભૂમિ પાસે સ્થિત છે.આ સ્થાન 51 શક્તિપીઠો પૈકી એક છે. અહીંયા મા સતીનું હૃદય પડ્યું હતું. એટલા માટે જ આ સ્થાનને હાર્દપીઠ પણ કહેવામાં આવે છે.

પ્રાગટ્ય કથા

વૈધનાથ મહાદેવની પ્રાગટ્ય કથાની વાત કરીએ તો, એક સમયે રાવણ કૈલાશ પર્વત પર ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યો હતો. પરંતુ ઘણાં વર્ષો સુધી તપ કર્યા બાદ જ્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન ન થયાં તો રાવણે ભગવાનને પ્રસન્ન કરવા માટે બીજું તપ શરુ કર્યું.

આ તપથી પણ ભગવાન પ્રસન્ન ન થતાં, રાવણે પોતાના મસ્તિષ્કની એક એક કરીને આહુતિ આપવાનું શરું કર્યું. આવું કરતાંકરતાં રાવણે પોતાનાં 9 માથાં કાપી નાંખ્યા. જ્યારે રાવણ પોતાના અંતિશ શિશનું છેદન કરવા જઈ રહ્યો હતો, ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવ પ્રગટ થયાં. તેમણે રાવણના માથાઓને પાછાં લાવી આપ્યાં અને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. રાવણે શિવજી પાસેથી પોતે સૌથી વધારે બળશાળી બને તેવું વરદાન માંગ્યું. શિવજીએ તેને બળ પ્રાપ્ત કરાવ્યું.

રાવણ ખુશ થયો અને ભગવાન ભોળાનાથના સન્મુખ નતમસ્તક થયો અને બોલ્યો કે ભગવાન તમે મારી સાથે લંકા ચાલો. રાવણના આવી વાત સાંભળીને ભગવાન ભોળાનાથે રાવણને કહ્યું કે, રાવણ તું મારા આ લિંગને લંકા લઈ જા, પરંતુ યાદ રાખજે વત્સ! કે તું આ લિંગને જે સ્થાન પર મુકીશ ત્યાં જ હું સ્થિત થઈ જઈશ.

આવું સાભળીને રાવણ પ્રસન્ન થયો અને લંકા તરફ ગતિ કરી. ભગવાન શિવની માયાથી રાવણને રસ્તામાં રસ્તામાં લઘુશંકા લાગી. રાવણ સામર્થ્યશાળી હતો, પરંતુ આ આવેગને તે રોકી ન શક્યો.

આ જ સમયે વૈજૂ નામનો એક ગોવાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રાવણે તેને વિનમ્ર અનુરોધ કર્યો અને શિવલિંગ થોડી ક્ષણ સુધી પોતાના કરમાં સાચવવા માટે જણાવ્યું. એવું કહેવામાં આવે છે કે તે ગોવાળ બીજું કોઈ નહી પરંતુ સ્વયં જગતના પાલનકર્તા ભગવાન વિષ્ણુ જ હતાં. પરંતુ ગોવાળ આ શિવલિંગના ભારને વધારે સમય સુધી સહન ન કરી શક્યો અને તેણે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું.

આ શિવલિંગ ગોવાળે પૃથ્વી પર મૂકતાંની સાથે જ ભગવાન શિવ ત્યાં સ્થિત થયાં. આ સ્થાનને અનેક નામથી ઓળખવામાં આવે છે-હ્યદય પીઠ, રાવણેશ્વર કાનન, રણખંડ, હરીતિકી વન, ચિતાભૂમિ આદિ નામથી ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ નહોતા ઈચ્છતાં કે શિવલિંગની સ્થાપના લંકામાં થાય.

રાવણ ભગવાન ભોળાનાથની લીલાને સમજી ગયો અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. દેવતાગણ પણ ત્યાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવી ગયાં. તમામ દેવતાગણે શિવલિંગની વિધિવત પૂજા કરી અને જ્યોતિર્લિંગનું નામ વૈધનાથ રાખ્યું.

ત્યારબાદ રાવણ લંકા ચાલ્યો ગયો. પરંતુ તમામ દેવતાગણ વિચારવા લાગ્યાં કે ભગવાન ભોળાનાથ મહાદેવથી મળેલા વરદાનથી રાવણ કંઈક અનર્થ કરશે. દેવતાઓએ નારદજીને રાવણ પાસે મોકલ્યાં. ત્યારે નારજી લંકા ગયાં અને રાવણને કહ્યું કે તું એકવાર કૈલાશ પર્વતને ઉઠાવીને જો, ત્યારે તું જાણી શકીશ કે ભગવાન મહાદેવ દ્વારા આપવામાં આવેલું વરદાન કેટલું સફળ થયું છે.

નારદજીની આ વાત સાંભળીને રાવણ કૈલાશ પર્વતને ઉઠાવવા માટે પહોંચ્યો અને તેણે કૈલાશ પર્વતને ઉંચો કર્યો. તે સમયે ભગવાન ભોળાનાથ કૈલાશ પર નિવાસ કરી રહ્યાં હતાં અને ક્રોધિત થઈને તેમણે રાવણને શ્રાપ આપી દીધો કે પોતાની શક્તિ પર ઘમંડ કરનારા દુષ્ટ રાવણ તારો અંત કરવાવાળા કોઈ દિવ્યપુરુષ જલદી જ આ ધરતી પર અવતરિત થશે. આ પ્રકારે રાવણ શાપિત થયો.

મંદિરની રચના

વૈધનાથ ધામની સ્થાપના સતયુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે. વૈધનાથધામ મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે, જે સુંદર ચિત્ર પ્રસ્તુત કરે છે. હાલમાં રહેલ મંદિરનો મુખ્ય દ્વાર બિહારના ગિધોર પ્રાંતના રાજા પુરાણમલે ઈ.સ.1516માં બંધાવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે બંગાળના પાલ શાસનના સામ્રાજ્યનો વિસ્તાર દેવધર સુધી કરવામાં આવ્યો હતો.

મુખ્ય મંદિરનો કળશ સોનાનો છે. આના પાછળની કથા પણ રસપ્રદ છે. અંગ્રેજોના શાસનકાળમાં સંથાળ જાતિના લોકો બાબા વૈધનાથ મહાદેવના મંદિરમાં આવ્યાં. આ લોકો પૂરેપૂરા નાસ્તિક હતાં. તેમણે આ મંદિરના તાંબાના બનેલા કળશને તીરનું નિશાન બનાવીને કળશમાં છેદ પાડ્યો. એવું કહેવાય છે કે આ છેદથી તેમાંથી હજારોની સંખ્યામાં ભ્રમરો એટલે કે ભમરાઓ બહાર નિકળ્યાં અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં. ભ્રમરોના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલાં આ લોકો બાબા વૈધનાથના શરણે ગયાં અને ભગવાન ભોળાનાથ મહાદેવની ક્ષમા માંગી. ભગવાન ભોળાનાથે તેમને ક્ષમા  આપી અને સંથાળ જાતિના લોકો ત્યારથી જ શિવભક્ત બની ગયાં. આ ઘટના બાદ ગિધોરનરેશની રાજમાતાને બાબા વૈધનાથે સ્વપ્નમાં આદેશ આપ્યો કે મારો તાંબાનો કળશ જીર્ણ થઈ ગયો છે. જેને બદલાવીને તમે નવો કળશ લગાવો. રાજમાતાએ તેમના રાજગુરુની સલાહ લઈને તાંબાના કળશના સ્થાને સવામણ સોનાનો કળશ ચડાવવાનો આદેશ આપ્યો. અને આજે પણ મંદિરમાં આ કળશ જોઈ શકાય છે.

જન્માષ્ટમીઃ હર્ષોલ્લાસ સાથે યાદ કરો સંભવામિ યુગે યુગે…

$
0
0

મેઘલિયા મહિના એવા શ્રાવણ વદ આઠમની અંધારી રાતે અને રોહિણી નક્ષત્રના સમયમાં ભગવાન વિષ્ણુના એક એવા અવતારે જન્મ લીધો, કે જેણે જગત આખાને પોતાનું ઘેલું લગાડ્યું. નામ એનું કૃષ્ણ. જન્માષ્ટમીનો આ પવિત્ર વર્વ પર્વ જ્યારે સ્વ. જગતના નાથી જન્મ દીધો હતો. તો આવો જાણીએ જન્માષ્ટમીના મહત્વ અને મહાત્મ્ય વિશે…

જન્માષ્ટમીની દેશભરમાં ખુબજ ધામધુમપુર્વક ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં તેમની માતા દેવકીજીની કુખે થયો હતો અને તેમનો ઉછેર ગોકુલમાં યદુવંશના મહાન રાજા નંદબાબાને ત્યાં થયો.

ભગવાન શ્રી કૃષ્ણ ૧૨૫ વર્ષ પૃથ્વી ઉપર અવતર્યા હતા તેમાં વ્રજમાં એટલે ગોકુલમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યાં,  મામા કંસના વધ બાદ ૧૪ વર્ષ મથુરામાં અને બાકીના ૧૦૦ અકીલા વર્ષ ગુજરાતના દ્વારકામાં બિરાજયા હતા,તેઓ  ઘણા ઓછા વર્ષ વ્રજ મંડળમાં બિરાજયા છતાં વ્રજની સંસ્કૃતિ અને સમાજ જીવન ઉપર તેમના દિવ્ય વ્યકિતત્વ વિચાર વર્તન અને વાણીના પ્રભાવની અમીછાપ આટલા વર્ષો પછી પણ અકબંધ રહી છે. તેમની ઇસવીસન પદ્ધતિ પ્રમાણે થયેલાં સંશોધન .સ પૂર્વેની 3228 સાલ, 20/7/3228 ને દિવસે તેમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે પંદર સંકલ્પમાં  પંદરેપંદર વખત વ્રજભૂમિમાં જ અવતાર લઇ લીલા કરી અનેક જીવોનું કલ્યાણ અને ઉધ્ધાર કરેલ તેથી આદીકાળથી આજ દિવસ સુધી વ્રજની સંસ્કૃતિ અને સભ્યતા શ્રી કૃષ્ણના રંગેે રંગાયેલી તેમની લીલાથી ઘડાયેલા છે.

વ્રજના કણેકણમાં શ્વાસ શ્વાસમાં આજે પણ કૃષ્ણ છે, તેથી વ્રજની સંસ્કૃતિને કૃષ્ણ સંસ્કૃતિ કહેવામાં આવે છે, વ્રજ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષથી કૃષ્ણ રંગે રંગાયેલું છે ભારતીય સંસ્કૃતીમાં બીજુ કોઇ વ્યકિતત્વ પોતાની આટલી લાંબી મધુર અને પ્રભાછશાળી છાપ મુકી ગયું નથી, વ્રજ સંસ્કૃતીની આ અશર માત્ર વ્રજ પુરતી સીમીત નથી રહી તે સમથ્ર ભારતના પ્રજા જીવન ઉપર હજારો વર્ષથી હકારાત્મક અશર રહી છે. ભારતીય સાહીત્ય કલા ઉત્સવ હિન્દુ ધર્મના સંપ્રદાયો અને ગ્રંથો પર પ્રગાઢ અશર જોવામળે છે તેથીજ એક ચિંતકે સાચુ કહ્યું છે કે ‘જીવનમાંથી કૃષ્ણને બાદ કરો જીવન શૂન્ય બની જશે’ દેશભરમાં જન્માષ્ટમીની ખુબજ ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે તેમાં ગોકુળ મથુરા અને દ્વારકામાં ખુબજ અનેરૂ મહત્વ છે અને ગુજરાતમાં ખાસ કરીને સોૈરાષ્ટ્રના નાના મોટા શહેરોમાં જન્માષ્ટમીની ઉજવણી નિમીતે ભવ્ય લોક મેળાના આયોજન કરવામાં આવે છે.

ઠેર ઠેર શોભાયાત્રા નીકળે છે અને પૃષ્ટિમાર્ગીય હવેલી કે અન્ય નાના મોટા મંદિરોમાંં જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મ ઉજવાય છે અનેબીજા દિવસે સવારેકૃષ્ણજન્મની ખુશાલીમાં નંદોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રના મુંબઇમાં જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીનું અનેરુ મહત્વ છે. વિદેશના ગોરા લોકો પણ કૃષ્ણ ભકિતનું ઘેલુ છે તેથીજ તેઓએ દેશ વિદેશમાં ભગવાન કૃષ્ણના ભવ્ય ઇસ્કોન મંદિર બાંધેલા છે અને આવા ઇસ્કોન ભારતના દિલ્હી મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાં પણ આવેલા છે.

મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતમાળામાં બિરાજમાન ભીમાશંકર મહાદેવ, પ્રાગટ્યની દિવ્ય કથા…

$
0
0

વિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. 12 મહિનાઓમાં શ્રાવણ માસનું સૌથી વધારે મહત્વ રહેલું છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિ કરવાનો મહિનો. ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ. ત્યારે આવો આજે દર્શન કરીએ 12 જ્યોતિર્લિંગો પૈકીના એક જ્યોતિર્લિંગ એવા ભીમાશંકર મહાદેવના. 

મહારાષ્ટ્રના પૂણે શહેરથી લગભગ 110 કિ.મી. ઉત્તર-પશ્ચિમ અને ગાંવખેડાથી 50 કિ.મી.ના અંતરે સહ્યાદ્રિ પર્વતમાળામાં આરુઢ છે ભોળાનાથનું ધામ ભીમાશંકર મંદિર. આ સ્થળેથી ભીમા નદી નિકળીને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણા નદી સાથે મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. ભીમાશંકર ભારતમાં જોવા મળતા બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાથી વિશ્વ પ્રસિદ્ધ પણ છે. નોંધનીય છે કે બાર જ્યોતિર્લિંગોમાં પાંચ મહારાષ્ટ્રમાં સ્થિત છે. આશરે 3,250 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

પૌરાણિક મહત્વ

ભીમાશંકર જ્યોતિર્લિંગના પ્રાગટ્ય અંગે મુખ્યત્વે ત્રણ કથાઓ પ્રચલિત છે. જેમાંથી પ્રથમ અને વધારે યાદ રહેતી ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુરનો સંહાર કર્યો તેની છે.

ત્રેતાયુગમાં ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ, કે જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, તેણે એકવાર આકરી તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુરને વરદાન માંગવાનું કહેતા, રાક્ષસે સ્વર્ગ, મૃત્યું અને પાતાળનું રાજ માંગી લીધું. આ વરદાન મળતા જ ત્રિપુરાસુર મદમસ્ત અને અહંકારી બની ગયો. પોતાને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરીને ત્રિપુરાસુરે ત્રણેય લોકમાં ત્રાસ મચાવ્યો. દેવલોકમાં પણ સમસ્ત દેવતાગણોની સ્થિતી નિર્બળ બની ગઈ. આથી સમગ્ર દેવતાગણ ત્રિપુરાસુરના ત્રાસથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ભગવાન ભોળાનાથના શરણે ગયા. ભગવાન પણ આ જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા.

ત્રિપુરાસુરનો સંહાર કરવા માટે ભગવાન શિવે પોતાનું વિશાળ સ્વરુપ ધારણ કર્યું. એક સમયે તો ત્રિપુરાસુર પણ ભગવાન ભોળાનાથનું આ પ્રલયકારી રુપ જોઈને ભયભીત બન્યો, છતા તેણે યુદ્ધ ચાલું રાખ્યું. આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલ્યું અને છેવટે કાર્તિક પૂર્ણિમાના દિવસે પોતાના શસ્ત્રથી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો.

યુદ્ધ બાદ ભગવાન ભોળાનાથ પોતાના નિવાસ સ્થાન કૈલાસ જઈ રહ્યા હતા. ત્યારે વિશ્રામ લેવા માટે તેઓ થોડો સમય સહ્યાદ્રી પર્વતની ઉંચી જગ્યા પર બેઠા. આ સમયે ભગવાન શિવના શરિરમાંથી પરસેવાની સહસ્ત્ર ધારાઓ નિકળીને નીચે પડવા લાગી અને તેનો એક પ્રવાહ બનીને એક કુંડમાં આવીને ભીમરથ નદીના રુપમાં વહેવા લાગ્યો, જે આગળ જતા ભગીરથી-ભીમા નદી તરીકે પ્રચલિત બની. 

દેવો અને ભક્તોએ ભગવાન ભગવાન મહાદેવજીને આ સ્થળે કાયમી વસવાટ કરવા માટે વિનંતી કરી. ભગવાન મહાદેવે આ વિનંતીનો સ્વીકાર કર્યો અને જ્યોતિર્લિંગ સ્વરુપે અહીંયા ભગવાન મહાદેવજી બિરાજમાન થયાં. ત્રિપુરાસુરના મૃત્યુ બાદ તેની શોકાતુર પત્નીઓ શાકિની અને ડાકીની ભગવાન શિવના શરણે ગઈ અને પોતાની જીવન રક્ષાની પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથે તેમની પ્રાર્થનાનો સ્વિકાર કર્યો અને તેમને અભય વચન આપ્યું કે ડાકિની અને શાકિની આ ક્ષેત્રમાં નિર્ભય બનીને નિવાસ કરી શકે છે, આ ક્ષેત્ર તમારું જ રહેશે. ભગવાન શિવજીનું નામ જપતાં પહેલા ભક્તો ડાકિની અને શાકિનીના નામનું ઉચ્ચારણ કરશે.

પદ્મપુરાણની બીજી કથા દૈત્યરાજપુત્ર ભીમાસુર અંગેની છે. પ્રાચીન કાળામાં ડાકિની વનમાં દાનવોના રાજ્યમાં દૈત્યરાજ કુંભકર્ણનું રાજ હતું. આ દૈત્યરાજે આસપાસના વિસ્તારોમાં ભારે ત્રાસ ફેલાવ્યો હતો. આ સમયે પ્રિયધર્મ નામના એક રાજાએ પોતાના પુણ્યકર્મોથી આ દૈત્યરાજનો વધ કર્યો. દૈત્યરાજ કુંભકર્ણના પુત્ર ભીમાસુરે પિતાના મૃત્યુંનો બદલો લેવા માટે બ્રહ્માજીનું તપ કર્યું. પ્રસન્ન થયેલા બ્રહ્મદેવે વરદાન માંગવાનું કહેતાં, ભીમાસુરે પોતાને પ્રચંડ સામર્થ્ય આપવાનું અને કોઈપણ માનવ યુદ્ધમાં મને મારી ન શકે તેવું વરદાન આપવા માટે કહ્યું. બ્રહ્મદેવે તેને વરદાન આપ્યું.

બ્રહ્મદેવના વરદાનથી ભીમાસુર અધિક ઉન્મત થઈને એકપછી એક રાજ્યો જીતવા લાગ્યો. ભીમાસુરે પ્રિયધર્મના રાજ્ય પર હુમલો કરીને તેની સેનાને હરાવી. ભીમાસુપરે જોયું કે પ્રિયધર્મ હાજર નહોતા. રાજા પ્રિયધર્મ શિવપૂજામાં મગ્ન હતાં. તેઓ “ઓમ નમઃ શિવાય“ના જપ સાથે શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરી રહ્યાં હતાં. ત્યારે જ ભીમાસુરે પ્રિયધર્મ પર હુમલો કર્યો. પ્રિયધર્મની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજી રાજાની રક્ષા કરવા માટે પ્રગટ થયાં અને શિવલિંગના સ્થળે જ્વાળાઓ પ્રગટ થઈ, જેમાં ભીમાસુર ભસ્મ થયો. આ સ્થળે ભગવાન મહાદેવ પ્રગટ થયાં. રાજા પ્રિયધર્મએ ભગવાન ભોળાનાથને આ સ્થળે કાયમી બિરાજમાન થવા માટે વિનંતી કરી, રાજા પ્રિયધર્મની આ અરજીનો ભગવાન ભોળાનાથે સ્વિકાર કર્યો. આમ ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પ્રગટ થયાં તે સ્થાન પર સ્વયંભૂ અને તેજસ્વિ જ્યોતિર્લિંગ બની ગયું. આ સ્થાન પર ભગવાન ભોળાનાથે ભીમાસુરનો વધ કર્યો હોવાથી તે સ્થાન ભીમાશંકર તરીકે પ્રચલિત બન્યું.

આવાગમન

ભીમાશંકર મુંબઈથી ૨૦૦ કિમી અને પુનાથી ૧૨૭ કિમી દૂર આવેલું છે. મંચર થઈને ભીમાશંકર પહોંચી શકાય છે. એક અન્ય રસ્તો વાડા થઈને રાજગુરુનગર મારફતે જાય છે. આ સ્થળે જઈ તેની પ્રાકૃતિક સુંદરતા માણી એક દિવસમાં પુના પાછું ફરી શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્વતારોહકો, જંગલ પ્રેમી અને પક્ષી નિરીક્ષકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. અહીં આવવાની સૌથી સારી ઋતુ ચોમાસું અને શિયાળો છે.

પુનાથી ભીમાશંકર જવા રાજ્ય પરિવહનની બસો મળી રહે છે. પુનાથી ભીમશંકરનો પ્રવાસ પાંચ કલાકનો છે. મહાશિવરાત્રિના દિવસે જ્યારે અહીં યાત્રાળુઓની વધુ ભીડ હોય છે ત્યારે વધુ બસો છોડવામાં આવે છે. આ સ્થળે મુંબઈ-પુના માર્ગના સેન્ટ્રલ રેલ્વેના કર્જત સ્ટેશનેથી પણ જઈ શકાય છે. જોકે કર્જતથી ભીમાશંકર જવા કોઈ પાકો માર્ગ નથી. તહેવાર દરમિયાન માત્ર પગપાળા યાત્રાળુઓ આ માર્ગ પર જાય છે.

ઔરંગાબાદ કે અહમદનગરથી અહીં આવતી વખતે અહમદનગર નજીકના ૩૦ કિમી દૂર આવેલા અલેફાટા આગળથી વળી જવું પડે છે. ત્યાંથી ૬૦ કિમી દૂર મંચર સુધી પહોંચવું પડે છે. મંચરથી બીજા ૬૦ કિમી પછી ભીમાશંકર આવે છે. (ઔરંગાબાદથી અહમદનગર ૧૧૨ કિમી છે)

અન્ય રસ્તો નાશિક-પુના રોડ પર આવેલા સંગમનેરથી પસાર થાય છે. સંગમનેરથી મંચર પહોંચી ફરી તે જ માર્ગ લેવો પડે છે.

પુનાના શિવાજીનગર એસટી ડેપોથી સવારના ૫.૩૦થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ હોય છે. રાજ્ય પરિવહનની બસો પુનાથી -> રાજગુરુ નગર -> ચાસ કામન ડેમ -> વાડા -> ભીમાશંકર; કે પુનાથી -> રાજગુરુ નગર -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર; મુંબઈ થી -> ચાકણ [પુનાનો બહારનો ભાગ] -> રાજગુરુ નગર(ખેડ) -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર આ માર્ગે ચાલે છે. 

 – પૂજા
  • મંદિર ખુલવાનો સમય – ૪.૩૦ સવારે
  • આરતી – ૫:૦૫ સવારે
  • દર્શન – સવારે ૫ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા સુધી
  • આ સમય દરમિયાન અભિષેક નહી – સવારે ૧૧:૩૦ થી ૧૧:૫૦ સુધી
  • મહાપૂજા – ૧૨:૦૦ બપોરે
  • મહા નૈવેદ્ય – ૧૨:૩૦ બપોરે
  • અભિષેક અને સામાન્ય પૂજા – બપોરે ૧૨:૩૦ થી ૨:૩૦ સુધી
  • શ્રૃંગાર પૂજા – બપોરે ૨:૪૫ થી સાંજે ૩:૧૫ સુધી
  • આરતી – સાંજે ૩:૧૫ થી ૩:૩૦
  • શ્રૃંગાર દર્શન – ૩:૩૦ સાંજે થી ૭:૩૦ સાંજે

 

હાર્દિક વ્યાસ

દેવાધિદેવને વહાલી નગરી કાશી, કાશીવિશ્વનાથ કરશે પ્રલયમાં રક્ષાનું છે વચન

$
0
0

વતી કાલે અમાસ છે. એટલે શ્રાવણ માસ આવતીકાલે પૂર્ણ થશે. શિવભક્તોને તો શ્રાવણ માસ પૂર્ણ થાય એટલે ગમે જ નહીં. કારણ કે જે ભક્તો શિવની ભક્તિના રંગે રંગાયા હોય છે તેમને દુનિયાનો કોઈ અન્ય રંગ સ્પર્શી શકતો નથી. પરંતુ શ્રાવણ મહિનાના પવિત્રાતીપવિત્ર દિવસો હોય કે અન્ય દિવસો, ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ શ્રદ્ધામાં કોઈ ઉણપ આવતી નથી. કારણ કે મહાદેવજી તો નિરંતર પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે અને એટલે જ નિરંતર અને નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરવી પણ એટલી જ જરુરી છે.

આપણે આખા શ્રાવણ માસ દરમિયાન chitralekha.com સાથે જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે. ત્યારે આવો આજે દર્શન કરીએ કાશીમાં બિરાજમાન ભગવાન કાશીવિશ્વનાથ મહાદેવના. આ મહાદેવને વિશ્વનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કાશીમાં સ્થિત આ શિવલિંગ પ્રલયકાળમાં આ નગરની રક્ષા કરશે, પ્રલયના સમયમાં પણ આ શહેરને કોઈ નુકસાન નહીં થાય.

કાશીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હિંદી ભાષામાં એવું કહેવામાં આવે છે કે काशी के कंकर शिव शंकर है” અર્થાત કાશીના પત્થરો પણ શિવશંકર છે. ભારતમાં સર્વાધિક શિવાલયોની સંખ્યા જો કોઈ સ્થળે હોય તો તે કાશીમાં જ છે, તેવું માનવામાં આવે છે. કાશીને રુદ્રમય માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામોથી જાણીતું આ નગર ત્રિશદળ પર વસેલું છે. જેનો સૃષ્ટિના પ્રલય સમયે પણ નાશ નહીં થાય. પ્રલયકાળમાં ભગવાન મહાદેવ આ સ્થળેથી જ સૃષ્ટિનો સંહાર કરે છે. તેથી જ તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં મરણના મહિમા પાછળનું ધાર્મિક કારણ ખૂબ મહત્વનું છે. કહેવાય છે કે ભગવાન મહાદેવ સ્વયં મરણોન્મુખ જીવને અહીંયા તારકમંત્ર સંભળાવે છે”, આ મંત્ર સાંભળવાથી જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આમ, જીવમાં બ્રહ્મ પ્રકાશિત થવાની માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર પણ કહેવામાં આવે છે. પ્રકાશના શહેરમાં મોક્ષ અંગેની આ માન્યતાને લીધે જ અહીં મૃત્યુનો વિશેષ મહિમા પણ છે.

પૌરાણિક કથા

કાશી વિશ્વનાથની સ્થાપના સંબંધિત પ્રચલિત કથા ભગવાન મહાદેવના આ સ્થળ પ્રત્યેના પ્રેમની છે. હિમાલયમાં વસવાટ કરતાં ભગવાન મહાદેવને ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મા પાર્વતીજીએ પોતાના પતિ ભગવાન મહાદેવને બીજું સ્થાન શોધવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શિવે રાજા દિવોદાસની કાશી નગરીની પસંદગી કરી અને નિકુંભ નામના શિવગણે ભગવાન શિવના શાંત અને એકાંત નિવાસ માટે મનુષ્ય વગરની બનાવી, ભગવાન મહાદેવ અને જગત જનની જગદંબા મા પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યાં અને પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરી, બ્રહ્માજીએ આથી ભગવાન મહાદેવને રીઝવ્યાં અને ભગવાન શિવ મંદરાચલ નામના સ્થળે ચાલ્યાં ગયાં. ભગવાન મહાદેવનો કાશી પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો. ભગવાન ભોળાનાથ મહાદેવનો કાશી પ્રત્યેનો આ સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતા રાજા દિવોદાસ તપોવનમાં જવા પ્રવૃત્ત થયાં. ત્યારબાદ વારાણસી ભગવાન મહાદેવનું કાયમી નિવાસસ્થાન બની ગયું. ભગવાન મહાદેવે ત્રિશૂળ પર આ નગરીની સ્થાપના કરી છે. વારાણસીમાં ભગવાન શિવ અને માતા શક્તિનો વાસ છે. 51 શક્તિપીઠોમાંની વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પાસે આવેલી છે.

શ્રી કાશીવિશ્વનાથ મંદિર

વારાણસીમાં ગોદોલિયા ચોક પાસે વિશ્વનાથ ગલીમાં આવેલું વર્તમાન કાશી વિશ્વનાથ મંદિર સુવર્ણ મંદિર અથવા ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે, કારણકે આ મંદિરનો 15.5 મીટર ઉંચો કળશ સુવર્ણ જડિત છે. પ્રવર્તમાન કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતના સોમનાથ મંદિર વચ્ચે સામ્યતા એ છે કે બંને મંદિરો મુસ્લિમ આક્રમણખોરો કે શાસકો દ્વારા ધ્વંસ થયાં છે અને ફરીવાર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સોમનાથનું મંદિર તો સંપૂર્ણ નવનિર્માણ પામ્યું છે, પરંતુ કાશી વિશ્વનાથમાં તેમ નથી થયું.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર અત્યારે જે સ્થળે આવેલું છે તે સ્થળ જ્ઞાનવ્યાપી મસ્જિદની બાજુમાં છે. તે બંનેને અલગ પાડતી એકમાત્ર દીવાલ ત્યાં છે. ઈતિહાસની નોંધ પ્રમાણે આજે જે મંદિર છે તે વિશ્વનાથનું ચોથું મંદિર છે. પંજાબ-લાહોરના મહારાજા રણજિતસિંહે ઈ.સ 1832 માં 22 મણ સોનાનો કળશ મંદિરને ભેટમાં આપ્યો હતો. મંદિરના કુલ ત્રણ શિખર કળશમાંથી અન્ય બે પર સોનાનો ઢોળ છે અને ત્રીજા કળશ માટે ઉત્તર પ્રદેશનું સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોનું મંત્રાલય રસ દાખવી રહ્યું છે. વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથના અન્ય બે મંદિરો પણ વારાણસીમાં આવેલાં છે, જેમાંનું એક મંદિર બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રેરણાથી બન્યું છે. ન્યુ કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર વારાણસીનું સૌથી ઉંચું મંદિર છે. ગંગા કિનારે માનમંદિર ઘાટ પર સ્વામી કરપાત્રી દ્વારા નિર્માણ થયેલું બીજું વિશ્વનાથનું મંદિર છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

અંદાજે 40 ચોરસફૂટ જેટલાં વિસ્તારમાં આવેલા પ્રવર્તમાન મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભા મંડપ પર ઘુમ્મટ આકારનું શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિતસિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. મંદિરના મહાદ્વારમાં પ્રવેશતાં જ ડાબી બાજુના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. જમણી બાજુના ગર્ભગૃહમાં પણ એક શિવલિંગ છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે, તેના પર પુષ્પ, બિલ્વપત્રનો અભિષેક થતો જોઈ શકાય છે.

કાશીમાં મૃત્યુનો મહિમા

આમ તો આપણાં ત્યાં જન્મના અનેક મહિમાઓનો ખૂબ મહિમા છે. પરંતુ કાશી એક એવી નગરી છે કે જ્યાં મરણનો મહિમા છે. અહીંયા જે વ્યક્તિ દેવલોક પામે તેને ચોક્કસ મુક્તિ મળે છે. એક ગુજરાતી કહેવત છે કે “સૂરતનું જમણ અને કાશીનું મરણ”. અર્થાત સૂરતનું જમણ શ્રેષ્ઠ છે અને કાશીનું મરણ શ્રેષ્ઠોત્તમ છે. કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણનું જે ચક્ર છે તેમાંથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાશી સૌથી ઉત્તમ છે. કાશીના મહિમાનું વર્ણન ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.

 

હાર્દિક વ્યાસ

જ્યારે પરશુરામને ભગવાન દત્તાત્રેય મળ્યાં, સિદ્ધ અને સિદ્ધિની વાત

$
0
0

ગવાન દત્તાત્રેય નવ નાથ અને ચોષઠ સિધ્ધોના ગુરુ છે. તેમની કૃપા અનન્ય છે, જેની પર ગુરુ દત્તાત્રેયની દયા થાય, આશીર્વાદ થાય તેને બધી વિદ્યા, સમ્માન અને અક્ષય સુખ મળે છે. ગુરુ મનુષ્યને પળવારમાં ભવસાગર પાર કરાવી શકે છે. ભગવાન દત્તાત્રેય ઋષિ અત્રિ અને સતી અનસૂયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના એક જ અવતાર તરીકે જન્મ્યા હતા. મુનિ દુર્વાસા અને ચંદ્ર તેમના સહોદર છે. ભગવાન દત્તાત્રેયના શરણ માત્રથી જ મનુષ્યની પીડા ટળે છે.

ભગવાન દત્તાત્રેયએ સ્વયં ગુરુ સ્વરૂપ છે, ગુરુતત્વનો દેહાવતાર છે. ભગવાન દત્તાત્રેયની છ ભુજાઓમાં સમગ્ર બ્રહમાંડનો વિસ્તાર અને કલ્યાણ કરવાનું બળ રહેલું છે. ભગવાન દત્તાત્રેયએ દિગંબર મુનિ છે, તેઓના સ્વરૂપને મનુષ્ય બાળકની જેમ સમજી શકતો નથી. ભગવાન દત્તાત્રેયની કૃપાથી કાર્તવીર્ય અર્જુનને ક્ષણવારમાં જ્ઞાન અને અંતે મોક્ષની પ્રાપ્તિ થઇ હતી.

ભગવાન દત્તાત્રેયએ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણનો ઉધ્ધાર કર્યો હતો. અસુરોને જયારે પરાજય કરવામાં દેવો નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે માત્ર ભગવાન દત્તાત્રેયની કૃપાથી જ દેવોએ અસુરોનો પરાજય કર્યો હતો. જંભ નામના રાક્ષસનો ભગવાન દત્તાત્રેયએ પોતાની શક્તિઓથી પરાભવ કર્યો હતો. આ બધી જ લીલા શક્તિઓમાં ભગવાન દત્તાત્રેયએ માત્ર તેમના જ્ઞાનનો જ વિસ્તાર કરીને બધું જ સિધ્ધ કર્યું હતું। પરશુરામ અને પ્રહલાદને પણ જયારે ગુરુતત્વની શોધ થઇ, ત્યારે તેઓ પણ ભગવાન દત્તાત્રેય પાસે પહોંચ્યા। પરશુરામ જયારે ભગવાન દત્તાત્રેય પાસે ગયા, ત્યારે તેઓ ભગવાન દત્તાત્રેયના સ્વરૂપ અને તેમની દિનચર્યા જોઈને તેમને સમજી ના શક્યા, કેટલાય લાંબા કાળ સુધી તેઓ ભગવાન દત્તાત્રેયની કૃપા માટે રાહ જોતા રહ્યા, પરંતુ અંતે તેઓને જે મળ્યું તે સર્વવિદિત છે.

તેઓ પર જયારે ગુરુકૃપા થઇ ત્યારે તેઓ અનેક વિદ્યાઓના સ્વામી બન્યાં ભીષ્મ પણ આ વિદ્યાના અંશ માત્ર પરશુરામ પાસે જાણી શક્યા, છતાં તેઓ મહાભારતના સૌથી મોટા વીર હતા. પરશુરામ કે જેઓ ભીષ્મના ગુરુ હતા, તેઓને જયારે સિદ્ધિઓની આંકાક્ષા હતી ત્યારે તેઓ યોગ્ય દિશા શોધી રહ્યા હતા. બધી જ વિદ્યાઓ જેની પાસે હોય તેવા એકમાત્ર ભગવાન દત્તાત્રેય પાસે તેઓ ગયા હતા. ત્યારે ભગવાન દત્તાત્રેયએ તેઓને ‘ત્રિપુરા રહસ્ય’ નામનું દેવીશાસ્ત્ર કહ્યું હતું। ‘ત્રિપુરા રહસ્ય’નું શાસ્ત્ર આજે પણ પ્રાપ્ય છે, પરંતુ  તેનો અર્થ માત્ર ગુરુજનો જ કહી શકે છે. દેવી ઉપાસના અને દેવીના અંશ વિસ્તારની પૂજા ઉપાસના ભગવાન દત્તાત્રેય પાસે હતી.સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત આ શક્તિસ્વરૂપ દેવીને માત્ર ભગવાન દત્તાત્રેય સમજાવી શક્યા હતા. આ સદ્ભાગ્ય માત્ર પરશુરામને સાંપડ્યું હતું।

ભગવાન દત્તાત્રેયને ઔદુમ્બરનું વૃક્ષ ખુબ પ્રિય છે, ઔદુમ્બરમાં સિદ્ધ ગુરુઓનો વાસ હોય છે. જ્યાં ઔદુમ્બર હોય ત્યાં ભગવાન દત્તાત્રેયની કૃપા વર્ષે છે. ત્યાં રોગ અને મૃત્યુ ક્યારેય આવી શકતા નથી. જે ઔદુમ્બરની પ્રદક્ષિણા કરે, ભગવાન દત્તાત્રેયનો મંત્ર ભણે તેને બધી વિદ્યાઓ અને  ગુરુકૃપા સહજ પ્રાપ્ત થાય છે.

શુક્રાચાર્યને સંજીવની વિદ્યા, ભગવાન શંકર પાસેથી પ્રાપ્ત થઇ હતી. પરંતુ, આ વિદ્યા ભગવાન શંકર પાસે પણ ભગવાન દત્તાત્રેયથી જ પ્રાપ્ત થઇ હતી. શુક્ર પણ એક સમયે ભગવાન દત્તાત્રેયનો શિષ્ય બન્યો હતો. બ્રાહ્મણ સ્ત્રીનો મૃત પતિ પણ ભગવાન દત્તાત્રેયની કૃપા થી સજીવ થયો હતો. એક નિઃસંતાન સ્ત્રીને સંતાન અને મૃત પુત્ર પણ ભગવાન દત્તાત્રેયની કૃપાથી પાછા મળ્યા હતા.

ભગવાન દત્તાત્રેયએ ગુરુતત્વનું સાકાર સ્વરૂપ છે, પરંતુ વાસ્તવમાં ગુરુતત્વતો નિરાકાર છે. ગુરુ સર્વસ્થળે સર્વ કાળમાં હાજર રહે છે. ભગવાન દત્તાત્રેયના ભક્ત દરેક દેવમાં પણ ભગવાન દત્તાત્રેયનો જ વિસ્તાર જુએ છે. જે દત્તાત્રેયની નિત્ય સ્મરણ કરે છે, તેને કોઈ બાધા કે પિશાચ પીડા થતી નથી. જ્યાં દત્તધૂનનો નાદ પડે છે, ત્યાં સિદ્ધ અને યોગીઓ આકર્ષાય છે. જ્યાં દત્તની પૂજા આરતી થાય છે, ત્યાં સમૃદ્ધિ અને વિદ્યાઓનો વાસ થાય છે. ભગવાન દત્તાત્રેયની દત્તબાવની 52 ગુરુવાર કરવામાં આવે તો ધાર્યા કાર્ય પર પડે છે.

નીરવ રંજન

 


નાથદ્વારાના શ્રીનાથજીઃ પરમ આસ્થાનો જીવંત અનુભવ

$
0
0

ગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણના અનેક રૂપ અને નામ ભારતભરમાં પૂજાય છે અને લોકોની આસ્થાનું પરમ કેન્દ્ર બન્યાં છે। ભગવાન શ્રીનાથજીનું મંદિર ઉદેપુર રાજસ્થાનની નજીક આવેલ નાથદ્વારા શહેરમાં છે। શ્રીનાથજીમાં બાળ ગોવિંદ સ્વરૂપ એટલું તો મધુર છે કે તે ભક્તોની ઈચ્છાઓ અને મનોકામનાઓ તરત પૂર્ણ કરે છે. ભગવાન શ્રીનાથજીના ભક્તો તો ભગવાનને કોઈ ઈચ્છા કે કાર્યમાં પણ બાંધવા નથી ઇચ્છતાં। ભક્તો માટે ફક્ત ભગવાન શ્રીનાથજીનું શરણ અને વ્રજની મધુરતા જ બધું છે. દરેક ભક્ત પોતાને ગોપી સમજે છે અને ઈશ્વરને સમર્પિત થઇ જાય છે.

નાથદ્વારાના મંદિરને શ્રીનાથજીની હવેલી કહે છે. ભગવાન શ્રીનાથજી સૌ પહેલાં મથુરામાં ગોવર્ધન પર્વત પર પ્રગટ થયાં હતાં. જયારે ગાયો પર્વત પર પસાર થતી ત્યારે તેમના આંચળમાંથી સ્વયં દૂધની ધારા વહેવા લાગતી। આવું કેટલાક દિવસ સુધી બધાંએ જોયું, ત્યાં નીચે જ ગોવર્ધન પર્વત પર જ શ્રીજીનું બાળસ્વરૂપ શ્રીનાથજી પ્રગટ થયું। વૈષ્ણવ ગુરુ શ્રી વલ્લભાચાર્યને સૌ પહેલા પ્રભુએ બાળ ગોવિંદ સ્વરૂપે સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં. જયારે વલ્લભ પ્રભુ શ્રીજીને લેવા ગોવર્ધન પર્વત પર ગયાં ત્યારે ભગવાન શ્રીનાથજી સ્વયં વલ્લભ પ્રભુને ભેટી પડ્યાં। ભગવાન શ્રીનાથજીએ પોતાના સૌથી વહાલા વલ્લભ પ્રભુને પોતાના સ્વરૂપ વિષે જ્ઞાન કર્યું હતું। એવું કહેવાય છે કે આજ બાળ ગોવિંદ સ્વરૂપ જે અર્ચા વિગ્રહ છે, તે સ્વયં જ ભગવાન શ્રીનાથજી છે. આજ મૂર્તિ એ સ્વયં જીવતું જાગતું ગોવિંદ સ્વરૂપ છે. વલ્લભ પ્રભુ તો સ્વયં ભગવાન શ્રીનાથજી સાથે હાજરાહજૂર વાત કરી શકતાં હતાં. જયારે તાનસેને ભગવાન શ્રીનાથજી પાસે ભજન ગાયું હતું ત્યારે ભગવાન શ્રીનાથજીની અર્ચા વિગ્રહ સ્વયં મલકાઈ હતી અને આ બધાં ભક્તોએ દર્શન કર્યાં હતાં.

જતીપુરામાં ભગવાન શ્રીનાથજીની સેવા થતી હતી, પરંતુ મુઘલ કાળમાં જયારે વિદેશી આક્રમણ વધી ગયાં, સનાતન ધર્મનું રક્ષણ કપરું થયું હતું। ત્યારે ભગવાન શ્રીનાથજીના વિગ્રહને રાજસ્થાન તરફ લાવવામાં આવી, જયારે તેઓને ગાડામાં મુસાફરી કરાવામાં આવી હતી ત્યારે નાથદ્વારાના આ ગામે બળદ ગાડું ઉભું રહી ગયું હતું। જયારે ગાડું ત્યાં સ્વયં ઉભું રહી ગયું ત્યારે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ ગાડું ત્યાં જ સ્થિર રહ્યું। તો આજ નગરીએ નિવાસ કરવો છે તેમ ભક્તોએ શ્રીજીની ઈચ્છા માની લીધી।

મેવાડના રાણાની સંમતિ લઈને શ્રીજીને ત્યાં હવેલીમાં પધારવામાં આવ્યાં। એ જ હવેલી એ ભગવાન શ્રીનાથજીની હવેલી। આખા નાથદ્વારામાં ફરો તમે છેલ્લે ભગવાન શ્રીનાથજીના મંદિર સમીપે જ પહોંચી જશો. બધા માર્ગ નાની ટૂંકી ગલીઓમાં થઈને ભગવાન શ્રીનાથજી તરફ પહોંચી જાય છે. હવેલીમાં ભગવાન બાળ ગોવિંદ સ્વયં હાજર છે અને તેમની સેવા પૂજામાં દિનરાત ભક્તો લાગેલા રહે છે. શ્રીજીની સેવામાં કોઈ કસર ના રહે તે માટે ભગવાનની સેવા પૂજા અને આઠ પ્રહર દર્શનની તૈયારીઓ થતી રહે છે. નાથદ્વારામાં દરેક દિવસ ઉત્સવ જેવો છે. વહેલી સવારે પ્રથમ દર્શન મંગળા દર્શન કહેવાય છે, ભક્તોમાં કહેવાય છે કે જે મંગળા દર્શન કરે તેનો બેડો પર થઇ જાય. શ્રીજી સ્વયં લક્ષ્મીના સ્વામી છે. જેની પર શ્રીજીની દ્રષ્ટિ પડે તે દુબળો ના રહે. સુખ અને સંપત્તિ તેને ભરપૂર મળે છે.

અમારા સદગત મિત્ર અને વિદ્વાન ચંદ્રકાંત શાહ કહેતાં હતાં કે ભગવાન શ્રીનાથજીની હવેલીમાં એ સત છે કે ત્યાં માગો તે મળે. પણ જે માગો એ જ મળે એવું પણ ખરું. તેઓ કહેતાં કે શ્રીજીના વિગ્રહની સામે ડોલતી બારી છે, તેની પાછળ કમળ ચોક છે. કમળ ચોક અને ડોલતી બારી વચ્ચે જે દીવાલ છે તેમાં ધ્રૂવ બારી છે. આ બારીથી શ્રીજીના દર્શન ભક્ત ધ્રૂવ મહારાજ કરે છે. ધ્રૂવને ભગવાન ખૂબ વ્હાલાં છે, તો શ્રીજીને પણ પોતાના ભક્ત વહાલાં છે. આ બારી પાસે ત્યાં સાથિયો કરવાનો રિવાજ છે, જે આખી વિધિ ત્યાં જઈને જ જાણવી પડે। જે શ્રીજી પાસે ધ્રૂવ બારી પાસે સાથિયો કરીને માગે તો શ્રીજી તેને તેની ઈચ્છા, મનોકામના તરત પૂર્ણ કરે છે. કોઈ પણ દુબળો ભક્ત બનીને આવે અને શ્રીજી પાસે આ બારીમાં સમર્પણ અને શ્રદ્ધા રાખીને જે માગે તે ભગવાન શ્રીનાથજી તેને આપે જ છે. સંતાન બાબતે આ ચમત્કાર અમે અમારા અનુભવમાં અનેકવાર સાચો ઠરેલ જોયો છે. ભગવાન શ્રીનાથજીના દર્શન બાદ અનેકના જીવનમાં આમોલ પરિવર્તન આવેલ અમે જોયાં છે.

નીરવ રંજન

તમારી પોતાની જ અજાણી દુનિયાનો રસ્તો છે તમારાં સ્વપ્ન…

$
0
0

સ્વપ્ન આપણી પોતાની જ અવ્યક્ત દુનિયાને મળવાનો મોકો આપે છે, સ્વપ્ન દ્વારા તમે પોતાના જીવનની અજ્ઞાત બાબતો અને આંતરિક ઇચ્છાઓ સુધી પહોંચી શકો છો. સ્વપ્ન આવવાનું કોઈ કારણ નથી તેવું બિલકુલ નથી, પરંતુ સ્વપ્ન તો તમને તમારા પોતાના જ રહસ્યમય સંસાર તરફ જવાનો મોકો આપે છે.

સ્વપ્ન તમારા જીવનના રહસ્યને ઉજાગર કરી શકે છે. જો તમે સ્વપ્નને માત્ર આકસ્મિક ઘટના માનતાં હોવ તો તેવું બિલકુલ નથી. ડેલોફ નામક વ્યક્તિએ એકવાર સ્વપ્નમાં એક વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જોવા મળ્યું હતું. તેને આખા સ્વપ્નમાં આ નામ વારંવાર આવવાથી તે આ નામ જાગ્રત અવસ્થામાં પણ યાદ રાખી શક્યો. ઘણાં વર્ષો પછી જયારે તે તેના મિત્રને ત્યાં મળવા ગયો ત્યારે તેણે એક પુસ્તકમાં આ નામની જ વનસ્પતિ વાંચી. આ વનસ્પતિના અભ્યાસ સાથે તેને કોઈ સંબંધ નથી, ડેલોફ માટે આ વનસ્પતિ બિલકુલ નવીન વિષય હોવા છતાં તેનું અવચેતન મન આ બાબતને જાણી શક્યું હતું. ડેલોફ માટે આ સામાન્ય ઘટના ન હતી.

સાયમંડ નામક જર્મન કવિના જીવનમાં એક અદભૂત ઘટના ઘટી હતી. તેઓ જયારે એકવાર પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેઓએ એક મૃત વ્યક્તિને રસ્તામાં જોયો. તેના શબનો કોઈ વારસ ન હોઈ, તેઓએ પોતે આ શબની અંતિમ ક્રિયા કરી. તે જ દિવસે રાત્રે તે મૃત વ્યક્તિ સાયમંડના સ્વપ્નમાં આવ્યો. તેણે સાયમંડનો આભાર માન્યો અને તેને કહ્યું કે, સાયમંડ અમુક દિવસો પછી જે યાત્રા કરવાનો છે, તે યાત્રા તે ન કરે. સાયમંડ જે જહાજમાં જવાનો છે તે જહાજ ડૂબી જશે. આ સ્વપ્ન આવ્યાં બાદ સાયમંડે તરત જ પોતાનો પ્રવાસ ટાળી દીધો, તે જહાજ જોવા ગયો તેને જહાજમાં બધું જ બરાબર લાગ્યું. પરંતુ તેણે સ્વપ્નની ઘટના પર વિશ્વાસ કરીને યાત્રા મોકૂફ રાખી હતી. જે દિવસે યાત્રા ચાલુ થઇ એના અમુક દિવસ પછી સમાચાર આવ્યાં કે તે જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. સ્વપ્નના સંકેતની આ ઘટના ચમત્કારથી કમ નહોતી અને આ સત્યઘટના ગ્રંથિત કરવામાં આવી છે.

દરરોજ આવતાં સ્વપ્ન તમને કોઈને કોઈ સંકેત આપી જાય છે. સ્વપ્નએ જાગૃત શરીર શાંત થવાથી અને અર્ધજાગ્રત મનના કાર્યથી પેદા થાય છે. આપણું અવચેતન મન બધું જ જાણે છે, આપણે જેવા છીએ તેવા પોતાની ઈચ્છાથી નથી હોતાં. તેની પર આપણા અર્ધજાગ્રત મનનો ભરપુર કાબૂ હોય છે જ. જેમ કે તમે કોઈ પાર્ટીમાં ગયાં છો, અનેક કોલાહલ અને વાતો વચ્ચે જો કોઈ તમને દૂરથી બૂમ પાડીને બોલાવે તો તમને તેની ખબર પડી જાય છે. બધાં અવાજની વચ્ચે તમારું નામ ઓળખીને તમને આ સંકેત તમારું અવચેતન મન આપે છે.

૧) સ્વપ્ન તમારા જીવનના પડકાર, તકલીફ, સંભાવના અને મહત્વના કાર્યો તરફ સંકેત કરે છે જ. તે રસ્તો નથી બતાવતાં પરંતુ તે તમને પ્રેરણા આપવા પ્રયત્ન કરે છે. સ્વપ્નની ભાષા આકાર, રંગ અને ગૂઢ અર્થથી ભરેલી હોય છે.

૨) સ્વપ્ન મોટેભાગે તમારા વર્તમાનના પ્રશ્નો અને પડકારોને તમારા ધ્યાને લાવવા પ્રયાસ કરે છે. ભૂતકાળની ઘટનાઓનો સ્વપ્નમાં ઉપયોગ થાય છે પરંતુ તેનું કાર્ય વર્તમાનમાં બદલાવ માટે પ્રેરણા આપવાનું છે.

૩) સ્વપ્નનો સંકેત જાણીને તેનો ઉપયોગ કરવો અને અર્થ કરવો તમારા હાથમાં છે. સ્વપ્ન જોનાર સ્વપ્નના અર્થને પોતાના વર્તમાન જીવન સાથે જોડીને સ્વપ્ન દ્વારા અજ્ઞાત માર્ગ શોધી શકે છે. યાદ રાખો કે તમે જાગ્રત અવસ્થામાં જે જાણો છો તેના કરતાં તમારું અવચેતન મન અનેકગણાં રહસ્યો પોતાની સાથે લઈને ચાલે છે.

4)સ્વપ્નનો મધ્ય વિચાર, તેની ઘટના, ભાવનાત્મક બાબત, સંકેત અને ચીજો, વ્યક્તિઓ આટલી માહિતી જાણીને તમે તેનો અર્થ કરી શકો છો.

5)સ્વપ્નમાં તમે એક કપલ જુઓ છો તો તેનો અર્થ જીવનમાં બેલેન્સ જાળવવું જરૂરી છે તેઓ થઇ શકે છે. કપલ તમારા માતાપિતાનો પણ સંકેત કરે છે. કપલ તમને તમારા અજાણ્યાં સાથીની જરૂર વિષે પણ સંકેત કરે છે. સ્વપ્ન દ્વારા મનુષ્ય પોતાના વિષે અજ્ઞાત બાબતોને જાણી શકે છે, અને ઘણીવાર સ્વપ્ન તેના જીવનના રહસ્ય પરથી પડદો ઉચકી શકે છે.

 

નીરવ રંજન

મહાકવિ કાલિદાસ અને ઉજ્જૈનના માતા ગઢકાલિ

$
0
0

સંસ્કૃતનો અભ્યાસ મહાકવિ કાલિદાસના અભ્યાસ વગર અધૂરો કહેવાશે. મહાકવિ કાલિદાસ સામાન્ય વ્યક્તિમાંથી સંસ્કૃતના સૌથી મોટા વિદ્વાન કેવી રીતે બન્યા તેની પાછળ રસપ્રદ કથા છે. મહાકવિ કાલિદાસના જીવનમાં ઉજ્જૈનના ગઢકાલિની ઉપાસનાએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો. મહાકાળી માતાજીની કૃપાથી એક સામાન્ય વ્યક્તિ સંસ્કૃત ભાષાનો સૌથી મોટો વિદ્વાન બન્યો હતો.

વાત છે આશરે 1400 વર્ષ પહેલાંની, જયારે ઉજ્જૈનમાં એક રાજાને ત્યાં તેની પોતાની દીકરી વિદ્યોત્તમા ખૂબ જ્ઞાની અને જાણકાર હતી. આ કન્યાને જયારે લગ્ન બાબતે નિર્ણય કરવાનો હતો, ત્યારે આ કન્યાના જ્ઞાનને પહોંચે તેવો કોઈ વિદ્વાન રાજાને મળતો નહોતો. ગમે તેવા વિદ્વાનને પણ શાસ્ત્રાર્થમાં આ કન્યા ક્ષણવારમાં પરસ્ત કરી દેતી હતી. વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું ખૂબ અભિમાન થઇ ગયું હતું, પરંતુ તે જ્ઞાની હતી તે વાત ચોક્કસ હતી. વિદ્વાનોની એક સભાએ નક્કી કર્યું કે આપણાં બધાંના અપમાનનો બદલો આ કન્યા સાથે લઈશું અને તેને એવા મૂર્ખ સાથે પરણાવીશું કે તે જીવનભર પસ્તાશે! અમુક વિદ્વાનો આવા કોઈ એક મૂર્ખને શોધવા નીકળ્યા. વનમાં તેમણે એક વ્યક્તિ જોઇ. આ વ્યક્તિ પોતે જે ડાળી પર બેઠેલી એ જ ઝાડની ડાળી કાપી રહી હતી.

તેની આ મૂર્ખામી ભરેલી હરકત જોઈને વિદ્વાનોએ નક્કી કર્યું કે આ મૂર્ખ વ્યક્તિને જ વિદ્યોત્તમા સાથે પરણાવીશું!

વિદ્વાનો આ યુવાનને લઇને પહોંચ્યાં રાજાના મહેલમાં, પરંતુ તેણે એક પણ શબ્દ બોલવાનો નહોતો એ શરત હતી. દેખાવે સુંદર લાગતા આ યુવાનને વિદ્યોત્તમાએ એક આંગળી બતાવી પ્રશ્ન કર્યો તો આ યુવાનને એમ થયું કે તે મારી એક આંખ ફોડવાની વાત કરે છે માટે તેમણે સામે બે આંગળી બતાવી! વિદ્યોત્તમાએ ત્યારબાદ પાંચ આંગળી બતાવી તો આ ભાઈએ સામે મુઠ્ઠી બતાવી! આ ભાઈ મનમાં સમજ્યા કે તું હાથ મારીશ તો હું મુક્કો મારીશ! વિદ્વાનોએ રાજાને અને વિદ્યોત્તમાને બીજી રીતે સમજાવ્યા. વિદ્વાનોએ કહ્યું કે, પહેલાં પ્રશ્નમાં તમે કહ્યું કે ઈશ્વર એક છે પરંતુ આ ભાઈનું જ્ઞાન જુઓ, તેમણે કહ્યું કે ઈશ્વર એક છે, પરંતુ આત્મા અને પરમાત્મા એમ બંને થઇ બે છે. તમે જયારે પાંચ ઇન્દ્રિયો માટે હાથ બતાવ્યો, તો આ વિદ્વાને ઈશારો કરતાં કહ્યું કે પાંચ ઇન્દ્રિયો કાબૂમાં હોય તો જ સફળ થવાય! રાજા અને વિદ્યોત્તમા આ યુવાનના જ્ઞાનથી ખૂબ ખુશ થઇ ગયાં અને  વિદ્યોત્તમાના લગ્ન તેની સાથે થઇ ગયા.

થોડા સમયમાં જ વિદ્યોત્તમાને ખબર પડી ગઈ કે તેના લગ્ન એક મૂર્ખ વ્યક્તિ સાથે થયાં છે. આ બાજુ આ યુવાન પણ ખૂબ દુઃખી થયો. તેને ખૂબ સાંભળવું પડ્યું। સહન કરવું પડ્યું। પોતાની મૂર્ખતા પર બધાંને હસતાં જોઈને તેને ખૂબ લાગી આવ્યું। તેણે નક્કી કર્યું કે આજે માતાજીના ચરણમાં જ હું પ્રાણત્યાગ કરી દઈશ. મનોમન નક્કી કરીને તે ચાલી નીકળ્યો અને પહોંચ્યો ઉજ્જૈનમાં ગઢકાલિ માતાના શરણમાં। માતાજીની સામે વહેતી અશ્રુધારાએ માતાજીના ચરણમાં તે સતત પોતાનું માથું પટકવા લાગ્યો. ‘હે મા, મને કેમ આવો અવતાર મળ્યો? હું કેમ આટલો મૂર્ખ છું?’ એમ જોરથી માથું પછડાવાથી તેના માથાનું લોહી માના ચરણમાં લાગી ગયું। મહાકાળી મા પોતાના ભક્ત પર પ્રસન્ન થયાં. આ ભાઈ પોતાના ઘરે ચાલવા લાગ્યો, અને ઘરે જઈ બારણાં બંધ કરી સૂઈ ગયો. એવું કહેવાય છે કે મા મહાકાળી કાલિદાસની પાછળ પાછળ તેના ઘર સુધી આવ્યાં હતાં. માએ પોતે કાલિદાસના ઘરનું દ્વાર ખખડાવ્યું ત્યારે કાલિદાસે સહેજ ખોલીને જોયું તો તેઓ મહાકાળી માતાના સ્વરૂપને જોઈને ભાવવિભોર બની ગયાં. તેઓનું મુખ ખુલી જતાં, મહાકાળી તેમની જિહવા પર બિરાજ્યાં। મહાકાળી માતાના સાક્ષાત્કાર બાદ, તેઓ બન્યાં ‘કાલીના દાસ’ એટલે મહાકવિ ‘કાલિદાસ’।

જેની પર પરા આદ્યં શક્તિ રીઝી જાય, જે માના શરણમાં વ્હાલો થાય તેને બધું જ મળી જાય છે. પછી તો કાલિદાસ જે બોલે તે જ શાસ્ત્ર બની જતું। ઉપમા કાલિદાસસ્ય, કાલિદાસ સમાન કોઈ ઉપમા આપી ન શકે. સાત અમર કૃતિઓ સાથે અનેક રચનાઓની સાહિત્યિક બરાબરી શકે તેવો કાલિદાસ બાદ કોઈ વિદ્વાન આવ્યો નથી. આ બધું આદ્યશક્તિનો સાક્ષાત્કાર નહીં તો બીજું શું? ઉજ્જૈનમાં ગઢકાલિનું મંદિર છે, જ્યાં મહાકવિ કાલિદાસે મહાશક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો. મારા ગુરુજી કહેતાં હતાં કે પરા આદ્ય શક્તિ વગર સફળતા ન મળે, એમ સાધના વગર વિદ્વાન પણ ન બને.

નીરવ રંજન

દેવઉઠી એકાદશીઃ શુભ સમય, પૂજા વિધિ, વ્રત કથા અને તુલસી વિવાહનું મહત્વ

$
0
0

દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નીંદર પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપમાં તુલસીવિવાહ કરે છે. દેવઉઠી એકાદશીથી જ તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન, નામકરણ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશની શરૂઆત થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર દેવઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહ કારતક મહિનાના સુદ પક્ષમાં એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ એકાદશી દર સાલ નવેમ્બરમાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી-તુલસી વિવાહ 8 નવેમ્બર, 2019ના રોજ આવે છે.

દેવઉઠી એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત

દેવઉઠી એકાદશીની તિથિઃ તારીખ 8 નવેમ્બર, 2019

એકાદશી તિથિનો પ્રારંભઃ 7 નવેમ્બર, 2019ને સવારે 9 વાગ્યેને 55 મિનીટથી શરૂ

એકાદશી તિથિનો અંતઃ 8 નવેમ્બર, 2019ને બપોરે 12.24 મિનીટ સુધી

દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી અથવા તો હરિપ્રબોધની એકાદશી અને તુલસી વિવાહ એકાદશીના નામથી ઓળખાય છે. આ એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતા અનુસાર તમામ શુભ કાર્યની શરૂઆત દેવઉઠી એકાદશીથી કરાય છે. માન્યતા પ્રમાણે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની નીંદરમાંથી જાગે છે. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુને શંખાસુર નામના ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યાર પછી અષાઢ સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર ભગવાન વિષ્ણુ શયન કરે છે. તે પછીના ચાર મહિના પૂર્ણ થયા પછી તે જાગે છે. તેની સાથે જ દેવઉઠી એકાદશીથી ચાર્તુમાસ સમાપ્ત થઈ જાય છે. જાગવાની સાથે ભગવાનને તુલસી અપર્ણ કરાય છે. માન્યતા એવી છે કે આ દિવસે દેવઉઠી એકાદશી વ્રત કથા સાંભળવાથી 100 ગાયોના દાન બરાબર પુણ્ય મળે છે. આ દિવસે તુલસી વિવાહ પણ કરાય છે. આ એકાદશીનું વ્રત કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે.

દેવઉઠી એકાદશીએ પૂજા વિધિ

–     એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા

–     હવે ભગવાન વિષ્ણુ ધ્યાન ધરીને વ્રત કરવાનો સંકલ્પ લેવો

–     પછી ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુના ચરણોની આકૃતિ બનાવવી

–     એક ગોખલામાં ગેરૂથી ભગવાન વિષ્ણુનું ચિત્ર બનાવવું

–     હવે ગોખલા પાસે ફળ, મીઠાઈ, શિંગોડા અને શેરડી રાખવા, પછી તેને ટોપલીથી ઢાંકી દેવું

–     રાતના સમયે ઘરની બહાર અને પૂજાના સ્થળ પર દીવા કરવા

–     આ દિવસે પરિવારના તમામ લોકોએ ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓની પૂજા કરવી જોઈએ

–     તેના પછી શંખ અને ઘંટ વગાડીને ભગવાન વિષ્ણુને એવું કહીને જગાડવા- ઉઠો દેવા, બેઠો દેવા, આંગુરિયા ચટકાવો દેવા, નવું સૂતર, નવો કપાસ, દેવ ઉઠો આવ્યો કારતક માસ

 

ભગવાન વિષ્ણુને જગાડવાનો મંત્ર

‘उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥’
‘उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥’
‘शारदानि च पुष्पाणि गृहाण मम केशव।’

 

દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ

દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ આયોજિત કરાય છે. આ લગ્ન તુલસીનો છોડ અને ભગવાન વિષ્ણુના રૂપમાં શાલીગ્રામ સાથે થાય છે. આ લગ્ન પણ સામાન્ય લગ્નની જેમ ધામધૂમથી થાય છે. માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુ જ્યારે ચાર મહિના નિંદરમાંથી જાગ્યાં ત્યારે સૌથી પહેલાં તુલસીની પ્રાર્થના સાંભળી હતી. તુલસી વિવાહનો અર્થ એ છે કે તુલસીના માધ્યમથી ભગવાન વિષ્ણુને યોગ નિદ્રાથી જગાડવા.

દેવઉઠી એકાદશીની કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ભગવાન શ્રીહરિ વિષ્ણુને લક્ષ્મીજી પૂછે છે કે ‘હે નાથ આપ દિવસ રાત જાગો છો અને સૂઈ જાવ તો લાખો કરોડો વર્ષો સુધી સુધી સૂઈ જાવ છો. તથા આ સમય દરમિયાન સમસ્ત ચરાચરનો નાશ પણ કરી નાંખો છો. એટલા માટે આપ નિયમ પ્રમાણે પ્રતિવર્ષ નીંદર લો. તેના કારણે મને પણ કેટલોક સમય વિશ્રામ કરવાનો સમય મળશે.’

લક્ષ્મીજીની વાત સાંભળીને નારાયણ હસ્યાં, અને બોલ્યાં કે ‘દેવી તમે ઠીક કહ્યું છે. મારા જાગવાથી તમામ દેવો અને ખાસ કરીને આપને કષ્ટ થાય છે. તમને મારા કારણે જરાય પણ અવકાશ મળતો નથી. આપના કથાનાનુસાર આજથી હું પ્રતિવર્ષ ચાર મહિના વર્ષાઋતુમાં શયન કરીશ. તે સમયે તમને અને દેવગણોને આરામ મળશે. મારી આ નીંદર અલ્પનિદ્રા અને પ્રલયકાલીન મહાનિદ્રા કહેવાશે. મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગલકારી હશે. આ કાળમાં મારા ભક્તો મારા શયન કરવાની ભાવના સાથે સેવા કરશે અને શયન-ઉત્થાનનો ઉત્સવને આનંદપૂર્વક ઉજવશે તેના ઘરમાં હું તેમની સાથે નિવાસ કરીશ.

સિદ્ધયોગીઓનો અંત સમય અને તથાગત બુદ્ધનો ઉત્તર!

$
0
0

જ્યારે રામકૃષ્ણ પરમહંસને છેલ્લા દિવસોમાં કોઈ શિષ્યે પૂછ્યું કે તમને મૃત્યુ વિશે શું અનુભવ થઇ રહ્યો છે? ત્યારે ગુરુજીએ જણાવ્યું કે શરીરને તકલીફ પડી રહી છે, મને નહીં. શરીરનો ગુણધર્મ છે તકલીફ લેવાનો. મારો અંતરાત્મા તો આનંદિત છે. તેને કોઈ તકલીફ નથી.

એકવાર તથાગત ભગવાન બુદ્ધને કોઈએ પ્રશ્ન કર્યો કે ધર્મગ્રંથો પ્રમાણે આપણે શુભ કર્મો કરીએ છીએ, પરંતુ મૃત્યુ બાદ કોઈ બીજું જીવન નહીં હોય તો શું થશે? આપણાં કરેલ ત્યાગ અને શુભ કર્મોનું શું થશે? તથાગત ભગવાન બુદ્ધે શાંત અને અસ્ખલિત વાણીમાં કહ્યું કે, તારો પ્રશ્ન સારો છે, અને આ પ્રશ્ન તારા અંતકાળ સુધી તારી સાથે જ રહેશે, અંત સમયે પણ તું આ જ પ્રશ્ન વિષે વિચારીશ. પણ હવે તું એમ માની લે કે ‘મૃત્યુ પછી જીવન છે જ’ તેવું થયું તો તું શું કરીશ? માટે મૃત્યુ પછી જીવન હોય કે ન હોય તેના પ્રશ્નમાં પડ્યા વગર સારા કર્મ જ કરજે જેથી અંતકાળ સુખમય વીતે અને જીવ સુખેથી શરીરનો ત્યાગ કરે.

કઠોપનિષદ મૃત્યુનું વર્ણન કરતાં કહે છે, જયારે મનુષ્યનું ચિત્ત સંસારિક ક્ષણિક સુખોથી નિવૃત્ત થઇ જાય ત્યારે તેણે ધીરગંભીર બનીને પોતાના પ્રાણને સુષ્મણા નાડી વડે ધીરે ધીરે બ્રહ્મરન્ધ્ર સુધી પહોંચાડવો પડે છે. પાંચ વાયુમાંથી ઉદાન નામક વાયુ દ્વારા પ્રાણ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે, સોયની અણીથી પણ બારીક એવા આ બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ મુક્ત થાય તો મનુષ્યને ફરીવાર જન્મમૃત્યુના ફેર કરવા પડતાં નથી. આંખ, મુખ વગેરે ઉપરના અંગોમાંથી પ્રાણ જાય તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. પરંતુ જો કમર નીચેના ભાગેથી પ્રાણ જાય તો મનુષ્ય નિમ્ન યોનિમાં ગતિ કરે છે. સિદ્ધ યોગીઓ તો માત્ર બ્રહ્મરંધ્રમાંથી જ પ્રાણ ત્યાગ કરે છે, તેઓ કોઈ બીજી ગતિ કે જન્મને પણ શુભ ગણતા નથી. બીજો ઉત્તમ ભવ પણ સારા કર્મ હોય ત્યાં સુધી જ સારા કર્મોના બદલા રૂપે ભોગવાય છે, ત્યારબાદ મુક્તિની ઈચ્છા તો જીવને રહે જ છે.

તિબેટના સિદ્ધ યોગીઓ કહે છે કે જીવ જયારે પ્રાણત્યાગ કરે છે, ત્યારે તે અશક્ત થઇ જાય છે, શરીરનું વજન અનેક ગણું ભારે થઇ જાય છે. જીવ અશક્ત થવાથી શરીર નિશ્ચલ પડ્યું રહે છે, જીવ સમજી નથી શકતો કે હવે તેનો દેહ સાથે સંબંધ નથી રહ્યો. ધીરે ધીરે જીવને પોતાનો વિલય અનુભવાય છે, સૌ પહેલા પૃથ્વી તત્વ છુટું પડે છે, પછી જળ તત્વ, પછી વાયુ, પછી અગ્નિ અને છેલ્લે આકાશ તત્વમાં વિલીન થઈને જીવ પંચમહાભૂતમાં ચાલ્યો જાય છે.

પરમ પૂજ્ય બુદ્ધિસાગર મહારાજને જયારે હાથના ભાગે તકલીફ થઇ હતી ત્યારે તેઓએ કોઈ દવાના પ્રયોગ વગર દર્દ સહન કર્યું હતું. ગુરુ ભગવંતો માટે બધા જીવો માટે અનુકંપા ભારોભાર હોય છે, શરીર ગૌણ અને આત્મા સર્વોચ્ચ રાજાધિરાજ છે. ભગવાન રમણ મહર્ષિને પણ હાથના ભાગે ગાંઠ થઇ હતી, તબીબના જણાવ્યા મુજબ તેમને મોટું ઓપરેશન કરવું પડે તેમ હતું છતાંય ગુરુજીએ હાથના ભાગે કોઈ ઓપેરશન કરવા કરતા માત્ર નાનો પાટો બંધાવ્યો હતો. કર્ક રોગની ગાંઠ હતી તેમ છતાંય તેઓ અંત સમય સુધી કોઈ પણ દર્દના અનુભવ કે તકલીફ વગર રહ્યાં હતાં. છેલ્લા સમયે તેઓએ પોતે જ પોતના શ્વાસનો ત્યાગ કર્યો હતો.

સિદ્ધ યોગીઓ કહે છે કે મનુષ્યને મૃત્યુ પછી પોતાના મનના સહારે જ ચાલવાનું છે, જો મન શુદ્ધ હશે તો જીવ સારા રસ્તે ચાલી નીકળશે અને જો મન ઇચ્છાઓથી ભરેલું અને લોભ લાલચથી ગ્રસ્ત હશે તો જીવને પાછા આવ્યાં વગર છૂટકો નથી.

પ્રાતઃસ્મરણીય ગુરુદેવ નીમ કરોલી બાબાએ અંત સમયે પોતાનો કાળો કામળો એક ભક્ત તરફ નાખ્યો હતો અને બધાંને કહ્યું હવે આ જ તમને માર્ગદર્શન આપશે, હવે હું નથી. ત્યારબાદ તેઓએ મથુરા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અહીં તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને હોસ્પિટલ લઇ જવાયા. તબીબે તેઓને ઓક્સિજન માસ્ક આપ્યું તો બાબાએ તેનો સ્વીકાર ન કર્યો અને પોતે પોતાના સમયે પોતાની ઇચ્છાથી દેહત્યાગ કર્યો હતો.

(નીરવ રંજન)

અપેક્ષાઓ અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો દુખી ન થવાય

$
0
0

ક માણસ પાસે પોપટ હતો. એ મંત્ર બોલતો. એનાથી એના માલિકની પ્રતિષ્ઠા ખુબજ વધતી હતી. લોકો માલિકના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવતા. કોઈ ક્યારેય એ વિચારતું પણ નહિ કે આવા જ્ઞાની પોપટનો માલિક અજ્ઞાની હોઈ શકે. એક વાર એક માણસને વિચાર આવ્યો કે એ પોપટને એ મંત્રની અસર વિષે જ્ઞાન છે ખરું? એ વિચાર જ અજ્ઞાન માંથી પ્રકાશ તરફ જવા વાળો હતો. પોપટ તો પોપટ હતો. એને તો જે શિખવાડવામાં આવે તે બોલી શકતો. એને અર્થમાં શું રસ? આ આખી પ્રક્રિયામાં પોપટનો કોઈ વાંક ખરો? એના માલિકનો પણ કોઈ વાંક ખરો? એક સામાન્ય બાબત હતી કે, એને પોપટ ગમ્યો. એણેપોતાના દરવાજા પાસે એને રાખ્યો. લોકોએ પોપટને બોલતો સાંભળ્યો. બાકી જે થયું તે હવે લોકોએ જાતે નક્કી કર્યું હતું.

જીવનમાં પણ એવુજ થાય છે. માણસ પોતે પોતાના વિચારોમાં જીવે છે. એમાંથી એની અપેક્ષાઓનો જન્મ થાય છે. અને એ અપેક્ષાઓ પૂરી ન થતા તે વાંક સામેવાળાનો કાઢે છે. સર્વ પ્રથમતો સહુને નવા વરસની શુભકામના. નવા વર્ષના નિશ્ચયમા અપેક્ષાઓ ઓછી કરવાનો પણ નિર્ણય લેવો જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં જીવન જીવવાની જે રીત દર્શાવી છે તેમાં આત્મસંતોષની પણ વાત છે. આપણી અપેક્ષાઓ અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ જો સમજાઈ જાય તો દુખ થવાના કારણો ઘટી જશે. વ્યાજ ઘટી જાય તો લોન લેવીજ પડે એવો કોઈ નિયમ છે ખરો? જેની પાસે વધારે ધન છે તે વધારે સુખી છે તેવું માની શકાય ખરું? જો મેળવેલું ભોગવવાનો સમય જ નહિ રહે તો એ મેળવેલું કરવાનું શું? કોઈને ખબર છે કે પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે? બીજું કે જ્ઞાન સર્વત્ર પૂજાય છે. પણ માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ જો ન સમજાય તો તે ભૂલ કોની? ઈન્ટરનેટ પર જાત જાતની વાતો વાંચવા મળશે.

કોઈ કહેશે કે ઘરના આંગણામાં બિલાડી રાખો તો સારું અને કોઈ એવું પણ કહે કે વાઘ રાખોતો વધારે સારું. બંને લગભગ સરખાજ દેખાય છે ને? તો પહેલા તો આ બંને રખાય કે નહિ તે નક્કી કરવું પડે. અને વાઘ જો આંગણામાં બેઠો હોય તો?તેથીજ કોઈ પણ માહિતીમાં પોતાની રીતે વિચારીને નિર્ણય લેવામાં આવે તો વધારે સારું પડે.વ્યસન કરવાથીજ મિત્રો બને એવું ન હોય ને? વળી વ્યક્તિગત રીતે પણ નિયમો અલગ હોઈ શકે. એક માણસને સાકર સદે છે અને બીજાની નથી સદતી તો એકજ દ્રવ્ય બે અલગ અલગ વ્યક્તિ માટે વિપરીત અસર આપી શકે છે, એ સમજવું પણ જરૂરી છે. આયુર્વેદમાં પણ પ્રકૃતિ પારખીને ઈલાજ કરવાની વાત છે.

આ ધરતીના આપણી ઉપર અનેક ઉપકાર છે. એને સન્માન આપીએ. કચરો જ્યાંત્યા ન જ નાંખીએ. પ્લાસ્ટિક પ્રદુષણ કરેછે તે આપણે સહુ જાણીએ છીએ. તો જેને આપણે માતા કહીએ છીએ તેવી ભૂમિ પર કે નદીમાં તેને કેવી રીતે નાખી શકાય? જો આપણું પર્યાવરણ સુરક્ષિત હશે તોજ તેની ઉર્જા સચવાયેલી રહેશેને? ભારતીય વાસ્તુમાં કુદરતના દરેકે દરેક તત્વમાંથી શ્રેષ્ઠ પામવાના નિયમો છે. પણ તે પામવા માટે આપણે પણ શ્રેષ્ઠ બનવું જરૂરી છે. એવું કહે છે કે સિહણ નું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. અન્ય પાત્ર તૂટી જાય. તો શ્રેષ્ઠ ઉર્જા પ્રાપ્ત કરવા માટે સ્વને યોગ્ય તો બનાવવા પડેજ ને?કાઈક પામવા કાઈક છોડવું પડે છે તે વાત સાચી. પણ જે નકારાત્મક છે તેને છોડવાની વાત અહી કરવામાં આવી છે. મિત્રો પામવા અભિમાન છોડવું પડે કે પછી સન્માન પામવા જીદ છોડવી પડે તેવું વિચારી શકાય. પણ હા, ધાર્યું કરાવવા નીતિ છોડવી પડે તે સકારાત્મક વિચાર નથી. મોટા ભાગે માણસ પોતાના સ્વભાવના લીધેજ દુખી થાય છે. ખોટી જીદ વાળી વ્યક્તિ સારી વાતને પણ બગડી શકે છે. વાયવ્યના દોષના કારણે આવું થતું હોય છે.

આપણે ત્યાં પરસ્પર દેવો ભવઃ ની વાત છે. તો એકબીજાનું સન્માન રાખવું પણ જરૂરી છે. જે પૈસા આપે છે તેને વધારે અપેક્ષા હોય તો તે નકારાત્મકતા છે. સામેવાળી વ્યક્તિ જે સર્વિસ કે કામ કરી આપે છે તેનું પણ આ પ્રક્રિયામાં એટલુજ મહત્વ છે. બંને એક બીજાના પુરક છે. જો આ બધીજ વાતો યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનારા વરસમાં અર્થશાસ્ત્રીઓ ભલે જે પણ કહે, સુખી થવાના રસ્તા હમેશા ખુલ્લા દેખાશે.

(મયંક રાવલ)

પુરીમાં આ વર્ષે ભગવાન જગન્નાથ, ભક્તોનું મિલન નહીં…

$
0
0

કનૈયો પ્રેમનો અવતાર હતા. એ તેમના પ્રેમની પરાકાષ્ઠા હતી, જ્યારે મહર્ષિ વેદવ્યાસે પુરાણોની રચના કરી દીધી ત્યારે પણ તેમનું મન વિચલિત હતું. ત્યારે તેમણે નારદ મુનિ પાસે મનની વ્યથા કહી કે જીવનથી સંબંધિત બધી વાતો પર પુરાણોને લખવા છતાં તેમનું મન અશાંત કેમ છે? ત્યારે મહર્ષિ નારદે તેમને જણાવ્યું હતું કે તેમણે બધું લખ્યું, પણ પ્રેમ પર નથી લખ્યું. એ કહીને તેમણે શ્રીકૃષ્ણ અવતાર વર્ણન કર્યું. ત્યારે વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત લખ્યું. એવું કહેવાય છે કે આ એક પુરાણને વાંચી લેવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યેક સંબંધ પ્રતિ પ્રેમ અને એની અનંતતાનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ પૃથ્વીલોક પર આવાં કેટલાંક પ્રેમનાં ઉદાહરણ આપ્યાં છે. આમાંથી એક ઓરિસ્સામાં પ્રત્યેક વર્ષે જોવા મળે છે. જી હા, ભગવાન જગન્નાથ સ્વરૂપમાં એક મુસ્લિમ ભક્તના પ્રતિ તેમનો અગાધ પ્રેમ. પરંતુ આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધને કારણે ભગવાન પોતાના મુસ્લિમ ભક્તને મળી નહીં શકે. આવો જાણીએ પૂરી વાત…

અહીં દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ ઊભો રહે છે…

આમ તો દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, પરંતુ ઓરિસ્સાના પુરીમાં નીકળતી રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે, કેમ કે એ સ્થાનને ભગવાન કૃષ્ણે સ્વયં પસંદ કરી હતી. અહીં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજીનો રથ એક મુસ્લિમની મજાર પર અટકે છે. આ મુસ્લિમ ભગવાન જગન્નાથજીના અનન્ય ભક્ત હતા, પરંતુ મુસ્લિમ હોવાને લીધે તેમને ક્યારેય મંદિરમાં પ્રવેશ નહોતો કરવા દેવામાં આવતો. તેઓ ભગવાનના દર્શન કર્યા વગર દુનિયાથી વિદાય થઈ ગયા. જોકે મરતાં પહેલાં તેમણે કહ્યુ હતું કે મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પર જરૂર આવશે.

તો આ છે મજાર પર રથયાત્રાના રોકાવાનું રહસ્ય…

પ્રાપ્ત માહિતી મુજબ આ એ સમયની ઘટના છે, જ્યારે ભારતમાં મોગલોનું શાસન હતું. સાલબેગ નામનો એક મુસ્લિમ યુવક હતો. તેની માતા હિન્દુ અને પિતા મુસ્લિમ હતો. સાલબેગ મોગલ સેનામાં ભરતી થઈ ગયો. એક વાર તેના માથે ઇજાને કારણે મોટો જખમ થઈ ગયો. કેટલાય હકીમો અને વૈદ્યોની સારવાર પછી પણ એનો જખમ મટ્યો નહીં. આવામાં તેને મોગલ સેનામાંથી કાઢી મૂકવામાં આવ્યો. પરેશાન અને હતાશ સાલબેગ દુખી રહેવા લાગ્યો.  ત્યારે તેની માતાએ તેને ભગવાન જગન્નાથજીની ભક્તિ કરવાની સલાહ આપી. સાલબેગે એવું કર્યું. તે દિવસ-રાત જગન્નાથજીની પૂજા-અર્ચના અનમે ભક્તિ કરવા લાગ્યો. એનાથી તેને માનસિક શાંતિ અને જીવન જીવવાની શક્તિ મળવા લાગી.

ભગવાન સપનાંમાં દેખાતાં બધાં દુઃખદર્દ ગાયબ

એક વાર સાલબેગને સપનામાં જગન્નાથજી ખુદ તેને મળવા આવ્યા અને તેના જખમ પર લગાવવા માટે ભભૂત (પૂજા-હવન પછી વદેલી રાખ) આપે છે અને સાલબેગ સપનામાં એ ભભૂતને પોતાના માથે લગાવી લે છે. જ્યારે સાલબેગ ઊંઘમાંથી ઊઠે ત્યારે તેને અહેસાસ થાય છે કે તે તો સપનું જોતો હતો, પરંતુ તે એ વાતથી હેરાન હતો કે તેના માથાનો જખમ સાચે ઠીક થઈ ચૂક્યો હતો. ભગવાનની જયજયકાર કરતો તે કરુણામય ભાવથી સાલબેગ જગન્નાથજીના મંદિર તરફ દોડવા લાગે છે, પણ મુસ્લિમ હોવાને કારણે તેને મંદિરમાં પ્રવેશ નથી મળતો. આવામાં તે મંદિરની બાહર બેસીને ભગવાનની ભક્તિ કરવા લાગે છે. પ્રભુના નામનો જાપ કરતાં-કરતાં તે ભજનો લખ્યાં છે.

ભક્ત સાલબેગને મળવા ભગવાન અહીં રોકાય છે

કનૈયાના અનન્ય ભક્તની જેમ સાલબેગ પણ જગન્નાથજીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરે છે. પછી એક દિવસ ભગવાનની ભક્તિ કરતાં-કરતાં સાલબેગનું મૃત્યુ થાય છે, પણ પોતાના મૃત્યુ પહેલાં તે કહે છે કે જો મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પરજરૂર આવશે. તેના મૃત્યુ પછી સાલબેગની મજાર જગન્નાથ મંદિરથી ગુંડિચા રસ્તા પર બનાવવામાં આવી હતી. સાલબેગના મૃત્યુના કેટલાક મહિનાઓ પછી જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળી તો સાલબેગની મજારની પાસે રથ આગળ જ નહોતો વધતો. બધા ભક્તો રથ ખેંચી-ખેંચી, જોર લગાવીને થાકી ગયા, પરંતુ રથ તસુભર આગળ નહોતો વધી રહ્યો. આવામાં બધા પરેશાન થઈ ગયા અને કંઈ સમજી નહોતા શકતા કે હવે શું કરવું જોઈએ. ત્યારે કોઈએ રાજાને સાલબેગ વિશે જણાવ્યું અને તેની ભક્તિ તથા કથન વિશે માહિતી આપી. ત્યારે રાજાએ પુરોહિતજીથી મંત્રણા કરીને બધાને ભક્ત સાલબેગની જયકાર કરવા માટે કહ્યું. સાલબેગના નામે જયકાર લગાવ્યા પછી જ્યારે રથને ખેંચવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે રથ ચાલવા લાગ્યો. બસ, ત્યારથી દર વર્ષે માસીને ઘેર જતી વખતે જગન્નાથજીનો રથ સાલબેગની મજાર પર થોડો સમય અટકાવવામાં આવે છે.

આ વર્ષે નહીં મળે ભગવાન…

એક સદીથી ચાલતી આ રહી આ પરંપરા હેઠળ ભગવાન અને ભક્તનું આ વર્ષે નહીં થઈ શકે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે ઓરિસ્સા વિકાસ પરિષદ નામના NGOએ રથયાત્રા આ વર્ષે નહીં કાઢવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આના પર હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફેંસલો આવ્યો છે કે આ વર્ષે જગન્નાથ રથયાત્રા નહીં કાઢવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ભીડ એકત્ર થાય એ ઉચિત નથી. જેથી જાહેર સ્વાસ્થ્ય અને નાગરિક સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી નહીં આપી શકાય. આવામાં રથયાત્રા નહીં નીકળે તો ભગવાન જગન્નાથ આ વર્ષે સાલબેગને પણ નહીં મળી શકે.


Morari Bapu: Truth, Love, Compassion over Lies, Hate & Divide

$
0
0

(By Harini Rana)

The epicenter of Morari Bapu’s spiritual quest of over 59 years has always been for the people, of the people and by the people. His 9 day recitations are a reflection of uniting communities, countries, societies and people of different faiths across various socio-economic strata. It’s been about gracefully building a bridge of communal harmony, world peace and creating healthy and positive environment for constructive dialogue.

Recently, on last Friday, while speaking to the media at his hometown Talgajarda, in the Bhavnagar District was just another reflection of his spiritual journey when he stated, ‘I am capable of doing both- asking for forgiveness and forgiving others’.

This came just a day after Former BJP MLA, Pabubha Manek was seen charging towards Morari Bapu when he was invited to visit the Dwarkadesh temple. After realizing that an old video from his discourse in 2017 has not only hurt the sentiments of Hindu people (Yadav, Ahir community) but was also creating disharmony, Bapu had publically apologized four times and expressed his pain in details.

Even though, the attack was averted as the individual was pushed just inches away from Morari Bapu. But this sight of an attack in our temple premises on an Indian sadhu is not just another incident, it’s an attack on Sanatan Dharam, an attack against the belief of Truth, Love, Compassion and yet another attempt of creating disharmony. It’s also a sad reflection of a skewed mindset that is aggressive and violent which is ready to physically attack an Indian spiritual leader who has always stood for a healthy conversation, non-violence & unity.

There has been a lead up to this incident. Since last 100 days when the world and especially India is going through one of the most challenging times due to COVID-19, there has been a large group of people working overtime to stoke communal disharmony by targeting and spreading fake news through social media about him.

There is a concerted effort being made to deliberately misinterpret facts by quoting Bapu’s discourse out of context. A 12 year old discourse where 180 minutes of the day’s content was converted into a 15 second video highlighting only one religion (Islam) and deliberately leaving out the other mentioned religions which were part of the satsang conducted by him.

In another instance of spreading misinformation, Morari Bapu’s interpretation of Lord Krishna’s last 26 years that was shared three years ago in a discourse, a short video has been edited from over 200 minutes of the day’s content. All of this and many such videos have been tampered & misconstrued for convenience and shared now in the year 2020 during COVID-19 to create and spread a false narrative. The usage of bots & influencers to make baseless rumours, innuendo and mindless hate viral on social media is all seemingly appearing to be a part of a smear campaign against Bapu.

In fact, just a few hours after the Dwarka incident on Thursday, I took to my verified Twitter account to mention the facts of the attack on Morari Bapu. While there was no discussion about the incident, I have been trolled and subjected to hate, third grade Hindi abuses, called out names, to the extent of comments over my character.

We all know, fake news is not a recent phenomenon, but this attempt to build a fake narrative is not only spreading communal divide but also questioning the intent of a Hindu Sanatani spiritual leader who has tirelessly fostered communal harmony, be it by inviting people from all faiths to his discourses or sharing dais with leaders of all faiths. Morari Bapu’s Ram Katha is a culmination of multi-religious ideology where all religions (Hinduism, Jainism, Buddhism, Sikhism) have been equally respected. He has always been a man of dialogue and unity. Arguments, controversy, debate and dispute are not his nature. He has never divided the society or discriminated on the basis of religion.

Look around and you will struggle to find someone who has popularized the famous Indian scripture “Ram Charit Manas”, often called as “Ramayan” globally like the way Bapu has. During the course of his journey, not only has he transformed lives, but he has simplified spirituality and his efforts have made Indian youth across the world gravitate towards their own forgotten roots.

Over the years, through his journey across the length and breadth of this globe, he has reached out to the remotest of villages and houses where even roads, electricity or basic amenities are yet to reach. This is a testimony of his desire to reach out to the communities which are ignored by us as a society.

While he has always been a vocal supporter of initiatives undertaken to benefit the masses of our country, he has always maintained his own innateness. He has unsettled the norm and challenged morality at times. Be it by replacing the idol of Lord Ram in a temple of his hometown Talgajarda with no weapons or reaching out to the sex workers by visiting red light area of Kamathipura in Mumbai, inviting them to Lord Ram’s birthplace Ayodhya for a recitation or reaching out to the transgender community across India. His discourses have taken place across the world including at places of spiritual relevance like Vatican City (as a homage to Jesus Christ), Athens (in the memory of Greek philosopher Socrates), Kyoto-Japan (to elaborately discuss Japanese Zen philosophy), Hiroshima-Japan (in the memory of lives lost due to nuclear bombing), Abu Dhabi (UAE), Wadi Rum among others.

While, his knowledge is deeply rooted not only from the Indian scriptures, but also from the scriptures of different faiths across the world, what makes his style unique and popular is his ability to breakdown this knowledge and present it in a never heard before interpretation and a novel point of view which is refreshing, easy to comprehend and relatable to the youth. He communicates it with ease, honesty, simplicity and making it as practical as possible. He is the new age monk who thrives in spreading the message of Truth, Love, Compassion and welcoming any opportunity to foster communal harmony in every way possible- something we all need especially during the times when spreading hate and dividing society is so easy.

Even as the aggression continued with what was on display at the Dwarka temple, with an aim to fuel more fire in spreading fallacy towards one of India’s most revered Hindu spiritual leader. Morari Bapu has once again showed largesse to not just forgive the attacker but also end this controversy by apologizing not once, twice, thirce but four times for his statements which were made three years ago during a discourse which was based on Indian scripture Srimad Bhagwat. It’s time for all those groups to stop reciprocating Truth, Love and Compassion with Lies, Hate and Rage like the way it has all played out since last few months. And to all those people who have started believing in the agenda based narrative, I would remind you; ‘Life is the sum total of our experiences’, so please attend a Ram Katha of Bapu in its entirety, experience it, observe it and draw the conclusion yourself before making the fake narrative your reality.

(Harini Rana is Mumbai based news broadcaster and content strategist. She Can be followed on Twitter, Instagram: @harinirana)

મોરારીબાપુઃ સત્ય, પ્રેમ અને કરૂણાના બેજોડ પ્રતીક…

$
0
0

(હરીની રાણા)

મોરારીબાપુની છેલ્લા ૫૯થી પણ વધુ વર્ષથી ચાલતી રામકથાની આધ્યાત્મિક યાત્રા હંમેશા લોકો માટે, લોકો વતી અને લોકોની રહી છે. એમની નવ દિવસીય રામકથા એ વિભિન્ન સમુદાય, દેશ, સમાજ અને જૂદા-જૂદા ધર્મોના લોકોને, સામાજિક-આર્થિક ભેદભાવ દૂર કરીને એકતા સ્થાપિત કરવાનું સફળ અને અદ્દભુત માધ્યમ રહ્યું છે. આ ઉપરાંત, એમાં શાલીનતાથી સાંપ્રદાયિક સેતુબંધ કરતો, વિશ્વશાંતિનો સંદેશો આપતો અને રચનાત્મક સંવાદને પ્રોત્સાહિત કરતું એક હકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાનો એક તેજપૂંજ પ્રજ્વલિત થયેલો અનુભવાય છે.

હમણાં, ગયા શુક્રવારે, ભાવનગર જીલ્લાના તેમના વતન તલગાજરડા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા તેમની આધ્યાત્મિક યાત્રાનું એક વધુ પાસું પણ પ્રતિબિંબીત થયું જ્યારે તેમણે જણાવ્યું કે, “હું ક્ષમા માગવાવાળો અને બીજાને ક્ષમા આપવાવાળો વ્યક્તિ છું.”

મોરારીબાપુની આ પ્રતિક્રિયા એ ઘટના પછી આવી, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારકાધીશ મંદિર ખાતે બાપુ પર હુમલો કરવા ધસી ગયા હતા અને બાપુ વિશે નિંદનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં બાપુએ એક કથા દરમિયાન ભગવાન કૃષ્ણના જીવનના અંતિમ વર્ષોની પીડા વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ વાઇરલ કરાયેલી એક વિડિયો-ક્લિપથી યાદવ, આહિર અને અન્ય કેટલાક સમુદાયની ભાવનાઓને હમણાં હમણાં પહોંચેલી ઠેસ પછી અને સમાજમાં વિવાદ થવાની જાણ થતા બાપુએ જાહેરમાં ચાર વખત તેમની માફી માંગી હતી અને આંખોમાં આંસુ સાથે પોતાના હૃદયની પીડા વ્યક્ત કરી હતી.

ઇશ્વરકૃપાથી કેટલાક સતર્ક લોકોની ઉપસ્થિતિ અને સજાગતાને કારણે બાપુ ઉપરનો આ હુમલો એકાદ ઇંચ જેવા મામૂલી અંતરેથી નિષ્ફળ નીવડયો, પરંતુ ભારતના એક સાધુ પર કૃષ્ણ ભગવાનના મંદિરમાં જ થયેલો આ હુમલો કેવળ એક નિંદનીય ઘટના જ નથી, પણ એ એક સનાતન ધર્મ અને સત્ય-પ્રેમ-કરુણા ઉપરની આપણી અનંત શ્રદ્ધા ઉપરનો હુમલો છે. આ આપણી અહિંસક વિચારધારા અને એકતા ભંગ કરવાનો પ્રયાસ હતો. ભારતના એક આધ્યાત્મિક અગ્રણી જેમણે કાયમ સંવાદ, અહિંસા અને એકતાના સૂર પૂરાવ્યા છે. એમના પરનો હુમલો સમાજના અમુક લોકોની વિકૃત માનસિકતા દર્શાવે છે, જે કાયમ આક્રમકતા અને હિંસા દ્વારા શારીરિક નુકસાન પહોંચાડવા તત્પર છે. આ અત્યંત દુઃખદ છે.

અંદાજે છેલ્લા ૧૦૦ દિવસથી સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો દેશ કોવિડ-૧૯ના કારણે એક ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આવા અત્યંત નાજુક અને સંવેદનશીલ સમયમાં મોરારીબાપુને હાથો બનાવીને એમના વિશે સોશિયલ મિડિયામાં અફવાઓ ફેલાવીને સાંપ્રદાયિક શાંતિને ડહોળવા માટે કેટલાક લોકો ઓવરટાઈમ કરી રહ્યા છે.

અમુક લોકોએ બાપુના વક્તવ્યના સત્ય-તથ્યનો ઈરાદાપૂર્વક ખોટું અર્થઘટન કરવાનો સુયોજિત અને સંગઠિત પ્રયાસ કર્યો છે. ૧૨ વર્ષ પહેલાનું સળંગ ૩-કલાકનું બાપુનું જે પ્રવચન હતું તેમાંથી ૧૫ સેકંડ જેટલા પસંદ કરેલા ભાગની વિડીયો-ક્લિપને છેલ્લા થોડા દિવસોથી રજૂ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં તો પ્રવચન દરમિયાન દરેક ધર્મોને લઈને સમગ્રતયા જે કહેવામાં આવેલું તેને આ ક્લિપમાંથી બાકાત કરી નાખીને ઈરાદાપૂર્વક ઉશ્કેરાટ અને ઉચાટ ઉભો કરવામાં આવી રહ્યો છે.

એવી જ રીતે, ત્રણ વર્ષ પહેલાના મોરારીબાપુના અંદાજે ૨૦૦ મિનિટના એક પ્રવચન પૈકી માત્ર ૬૦ સેકંડની એક વિડિયો ક્લિપ પણ બનાવવામાં આવી છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ વર્ષોનાં વસમા કાળને એક સંત ભારોભાર વલોપાતથી રજૂ કરે છે. એમના કહેવાનું તાત્પર્ય ઉદારતાપૂર્વક સાચા સંદર્ભથી સમજવાનાં બદલે ધરાર ઉશ્કેરણી ફેલાવવા માટે આ ક્લિપ ઉપયોગમાં લેવાઈ રહી છે. અત્યારે કોરોનાના કહેરના આ વાતાવરણ વચ્ચે પણ વર્ગવિગ્રહ ભડકાવવા માટે બીજી ઘણી ક્લિપ છેડછાડ કરીને, પોતાની સગવડ અનુસાર વિપરીત અર્થઘટન સાથે છેક હવે ૨૦૨૦માં ફરતી કરવામાં આવી રહી છે. બાપુ પ્રત્યે બેફામ દ્વેષભાવથી પીડાતા લોકોના ઇશારે પાયાવિહોણી અફવાઓ અને છેડછાડયુક્ત માહિતીઓ સોશિયલ મીડિયા જેવા પ્રભાવક માધ્યમ ઉપર સતત વહેતી મૂકવામાં આવી રહી છે, જેમાં બોટ્સ એને ફેક-ઇન્ફ્લ્યુન્સર્સનો પ્રયોગ કરીને બાપુ વિરુદ્ધ અપમાનજનક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દ્વારકાની ઘટનાના થોડા કલાકો પછી ઉપરોક્ત તથ્યોને લોકો સુધી પહોંચાડવા માટે મેં મારા ‘વેરિફાઇડ’ ટ્વિટર એકાઉન્ટ દ્વારા જાહેરમાં મૂક્યા, પરંતુ જવાબમાં વાતનું વતેસર કરી તોફાન મચાવવા કૃતનિશ્ચયીઓની ગંદી ગાળો, નફરત, તુચ્છ કક્ષાના હિન્દી અપશબ્દો, અપમાનજનક ટીકાટીપ્પણી અને મારા ચારિત્ર્ય ઉપર આક્ષેપો મળ્યા. આ એ લોકો હતા, જેમને જાહેર માધ્યમોમાં ગંદી ગાળો લખવાનો જરાયે છોછ હોતો નથી.

આપણે બધા જાણીએ છીએ કે ફેક ન્યૂઝ એ કાંઇ આજકાલની બાબત નથી. આ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ ન કેવળ કોમી વિભાજન ફેલાવે છે, પણ બાપુ જેવા હિંદુ સનાતની આધ્યાત્મિક અગ્રણી કે જે અવિરતપણે કોમી એખલાસને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે, જે એમની કથામાં દરેક ધર્મના લોકોને રામકથાના મંચ પર આમંત્રિત કરવામાં અથવા તો બીજા ધર્મોના આમંત્રણનું માન રાખવામાં ક્યારેય ભય કે સંકોચ નથી અનુભવતા, એમના પ્રયત્નો અને ઉદ્દેશ ઉપર કુઠારાઘાત પણ કરે છે.

બાપુની રામકથા તો સર્વધર્મ સમભાવની વિચારધારાની પરાકાષ્ઠા છે, જ્યાં હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ ધર્મ સહિત જગતના કોઇપણ ધર્મને વખોડવામાં નથી આવતો. વિવિધ ધર્મોનાં આગેવાનોને આમંત્રણ આપીને બાપુએ તેમને એક જ સ્ટેજ ઉપર, કાયમ બાજુમાં જ બેસાડ્યા છે અને આ રીતે તમામ ધર્મોને એકસમાન આદર આપ્યો છે. તેઓ હંમેશા સંવાદ અને એકતાનાં વ્યક્તિ રહ્યા છે. દલીલો, વાદ-વિવાદ, શાસ્ત્રાર્થ કે તકરાર તેમનો સ્વભાવ નથી. તેમણે ક્યારેય સમાજમાં ભાગલા પડાવ્યા નથી કે ધર્મના આધારે ભેદભાવ કર્યા નથી.

વૈશ્વિક સ્તરે “રામાયણ” તરીકે ઓળખાતા આપણા પ્રખ્યાત ભારતીય ધર્મગ્રંથ “રામ ચરિત માનસ”ને લોકપ્રિય બનાવવા માટે મોરારીબાપુ સમકક્ષ પુરુષાર્થ કરનાર ભાગ્યે જ કોઈ સંત આપણી આસપાસ આજે દેખાય છે. જ્યાં રસ્તાઓ, વીજળી અથવા પાયાની સુવિધાઓ પણ આજ સુધી નથી પહોંચી એવા દેશ-પરદેશના દૂરદૂરનાં ગામડાઓ સુધી બાપુ પહોંચ્યા છે. બાપુ એ સમુદાયો સુધી પહોંચ્યાં છે, જેની સમાજ દ્વારા અવગણના કરવામાં આવે છે. તેમના અથાગ પ્રયત્નોથી વિશ્વભરના ભારતીય યુવાનો પણ પોતાના ભૂલાઇ ગયેલા ધાર્મિક અને આધ્યાત્મિક મૂળ તરફ આકર્ષિત થયા છે. કથાપાન કરનારનાં જીવનમાં આમૂલ પરિવર્તન થાય તેટલી હદે તેમણે આધ્યાત્મિકતાને સરળ બનાવી આપી છે.

સામાન્ય પ્રજાની કેટલીક મૂળભૂત સમસ્યાઓ બાબતે તેમણે કેટલાક ક્રાંતિકારી સુધારાઓ અનેક પ્રસંગોએ, એમની નિજતામાં રહીને, સાહજિક રીતે સૂચવ્યા છે અને અમલમાં પણ મૂકી બતાવ્યા છે. ઘણી જડ પરંપરાને પ્રવાહી પરંપરામાં પરિવર્તિત કરી છે. તેમની આવી કેટલીક ઐતિહાસિક, સામાજિક પરિવર્તનની પહેલનાં અમુક ઉદાહરણ જોઈએ તો: પોતાના વતન તલગાજરડાનાં રામ મંદિરમાં શસ્ત્ર વગરની ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા બાબતને સમર્થન, મુંબઈના રેડલાઈટ એરિયા કમાઠીપુરાની મુલાકાત લઈને સામાજિક રીતે બહિષ્કૃત બહેનોની સામાજિક સ્વીકૃતિ માટેના પ્રયાસો અથવા તો એમને ભગવાન રામનાં જન્મસ્થળ અયોધ્યામાં ઐતિહાસિક રામકથામાં આમંત્રિત કરવું, ભારતભરમાં ફેલાયેલા કિન્નર સમાજ માટે રામકથાનું આયોજન વગેરેનો સમાવેશ થાય છે. જીસસ ક્રાઈસ્ટને શ્રધાંજલિ માટે વેટિકન સિટીમાં ઐતહાસિક રામકથા, ગ્રીક ફિલોસોફર સોક્રેટિસની સ્મૃતિમાં એથેન્સમાં રામકથા, ક્યોટો-જાપાન ખાતે ઝેન ફિલોસોફી બાબતની રામકથાના માધ્યમ દ્વારા પરિચર્ચા, હિરોશીમા-જાપાન ખાતે અણુબોમ્બથી જીવ ગુમાવનારાઓની સ્મૃતિવંદના માટે ભાવવાહી રામકથા અને અબુ ધાબી કે વાડી-રમમાં યોજાયેલી યાદગાર રામકથાઓ- આ બધા સરહદની પેલે પારનાં ઉદારહણો છે. આધ્યાત્મિક દુનિયાની અદ્રશ્ય ચેતનાના તરંગો એમના થકી આ રીતે વ્યાસપીઠ પરથી અવિરત, અસ્ખલિતપણે પ્રગટ થઇ રહ્યા છે.

માત્ર ભારતીય-દર્શનશાસ્ત્ર જ નહીં, પણ જગતના વિવિધ ધાર્મિક દર્શનશાસ્ત્રોનું અખૂટ જ્ઞાન ધરાવતા હોવાથી મોરારીબાપુની વાકશૈલી વિશિષ્ટ અને લોકપ્રિય બની છે. ક્યારેય સાંભળ્યા ન હોય તેવા નાવિન્યપૂર્ણ  અને સરળ અર્થઘટન સાથે રસાળ ભાષામાં આવી બધી વાતો શ્રોતાઓને સમજાવીને એમને મંત્રમુગ્ધ કરવાની આવડત બાપુ ધરાવે છે. એમના અર્થઘટનો યુવાનોને નવી સમજ આપે છે અને એટલે યુવાનો એને પોતાની સાથે રિલેટ કરી શકે છે. બાપુ આ અર્થમાં નવા યુગનાં એવા સાધુ છે, જે સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશાને ફેલાવવામાં અને શક્ય હોય તે તમામ રીતોથી સાંપ્રદાયિક સંવાદને ભરપૂર પ્રોત્સાહન આપવાની એકેએક તકનું સ્વાગત કરે છે. વર્તમાન સમયમાં સમાજમાં નફરત અને ભાગલા પાડવાની વૃત્તિ ધરાવનાર તત્વો જ્યારે માથું ઊંચકી રહ્યા છે ત્યારે આવા સંતને નિર્ભય અને સહાયક વાતાવરણ પૂરું પાડવું એ આપણા સૌનું સામુહિક દાયિત્વ બની રહે છે.

બળતામાં ઘી હોમવાની હલકી માનસિકતા ધરાવનારાઓને શાંત પાડીને વિવાદનો અંત લાવવા મોરારીબાપુએ એકવાર નહીં, પણ ચાર-ચાર વાર એમના ત્રણ વરસ જૂના ‘શ્રીમદ ભાગવત’ આધારિત વક્તવ્ય માટે માફી માગી છે. એમનાં ઉપર હુમલો કરવા આવનારને તો બીજા જ દિવસે માફી આપીને વાતને વધતી અટકાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તેમના સત્ય, પ્રેમ અને કરુણાસભર વ્યવહારનો જૂઠાણાં, નફરત અને ગુસ્સા સાથે પ્રતિભાવ આપવાની કુચેષ્ઠા જે બે-ત્રણ મહિનાથી થઇ રહી છે, તે હવે બંધ કરવાની જરૂર છે. અત્યારે વાયરલ કરાયેલી વિડિયો ક્લિપ્સના આધારે મોરારીબાપુ અંગે જો કોઈએ પણ કોઈ અભિપ્રાય બાંધ્યો હોય તો એમને હું વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે: “જીવન એ આપણા અનુભવોનો સરવાળો છે”, એટલે આવો, બાપુની એક આખી રામકથાનું શ્રવણ કરો અને તમારા પ્રત્યક્ષ અનુભવ અને અવલોકનના આધારે સત્ય અને અસત્યની પરખ કરો.

(હરીની રાણા મુંબઇસ્થિત જાણીતા ટીવી પત્રકાર અને કન્ટેન્ટ સ્ટ્રેટેજીસ્ટ છે)

ગુરુ પૂર્ણિમા 2020: જાણો પર્વના મહત્ત્વને…

$
0
0

હિંદૂ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ સંસ્કૃતિમાં ગુરુનું વિશેષ સ્થાન વૈદિક સંસ્કૃતિના સમયથી જ છે. શાસ્ત્રો અને પૂરાણોમાં પણ ગુરુનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આટલું જ નહી પરંતુ ગુરુને ભગવાન પહેલા વંદન કરવામાં આવે છે. ગુરુ જ આપણને અજ્ઞાનતાના અંધારાથી જ્ઞાનરુપી પ્રકાશનો માર્ગ બતાવે છે. આ જ કારણ છે કે, ગુરુ પૂર્ણિમા પર્વ વખતે લાખો લોકો પોતાના ગુરુને વંદન કરવા અને તેમની ભક્તિ કરવા માટે જે-તે ધાર્મિક સ્થળ કે પછી પોતાના ગુરુના આશ્રમે પહોંચતા હોય છે. આ વર્ષે કોરોના મહાબીમારીનું સંકટ હોવાથી લોકો પોતાના ઘરમાં જ બેસીને ગુરુ પૂર્ણિમા ઉજવશે. આ જ દિવસે આદિગુરુ, મહાભારતના રચયિતા અને ચાર વેદોના વ્યાખ્યાતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અર્થાત મહર્ષિ વેદ વ્યાસજીએ જન્મ લીધો હતો.

સંસ્કૃતના મહાન વિદ્વાનોમાં મહર્ષિ વેદ વ્યાસને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત છે. મહર્ષિ વ્યાસે જ મહાભારતની રચના કરી છે. તમામ 18 પુરાણોની રચના પણ મહર્ષિ વેદ વ્યાસે જ કરી છે. વેદોને વિભાજિત કરવાનો શ્રેય પણ મહર્ષિ વેદ વ્યાસને આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં અને મનાવવામાં આવે છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ ગુરુ પૂર્ણિમા દરમિયાન ચંદ્ર ગ્રહણ પણ છે.

અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્તઃ
  • 5 જુલાઈ ગુરુ પૂર્ણિમા પ્રારંભઃ 4 જુલાઈ 2020ના રોજ સવારે 11 વાગ્યે 33 મીનિટથી
  • ગુરુ પૂર્ણિમા તિથિ સમાપ્તઃ 5 જુલાઈ 2020ના રોજ સવારે 10 વાગ્યે 13 મીનિટ સુધી

ગુુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીની પૂજા કરવાની ગુરુ કૃપાની પ્રાપ્તિ થાય છે. ગુરુની પૂજાથી જે શક્તિ અને આશીર્વાદ મળે છે જે શિષ્યના હિતમાં હોય છે. ગુરુ જ એક માત્ર માર્ગ બતાવનારા હોય છે કે જેનાથી શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુમાં આવે છે. આ ઋતુને ખૂબ સારી માનવામાં આવે છે કારણ કે આ દરમિયાન ન તો વધારે ઠંડી હોય છે અને તો વધારે ગરમી હોય છે. આ દિવસ માત્ર ગુરુ જ નહીં પરંતુ ઘરમાં પોતાના વડીલો જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોકોના આશીર્વાદ લેવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિઃ
  • ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો બાદમાં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
  • બાદમાં ઘરના મંદિરમાં કે પૂજા કરવાના કોઈ સ્થાને 12-12 રેખાઓ બનાવીને વ્યાસપીઠ બનાવો (વ્યાસપીઠ ક્યારેય જમીન પર અર્થાત ઘરના ફ્લોરિંગ પર ન બનાવાય, તેના માટે કોઈ પાટલો કે બાજોઠ મૂકીને ચોક્કસ સ્થાન બનાવવું)
  • બાદમાં ”गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये” મંત્રનો જાપ કરવો.
  • બાદમાં પોતાના ગુરુ અથવા તેમના ફોટાની પૂજા કરવી
  • જો આપ ગુરુની સમક્ષ હો તો, સૌથી પહેલા તેમના ચરણ ધોવો. તેમને તિલક કરો અને પૂષ્પ અર્પણ કરો.
  • બાદમાં તેમને ભોજન કરાવો
  • બાદમાં દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરી અને વિદાય આપવી.

સ્ત્રી એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે…

$
0
0

જ્યાં પણ સમાજ આધ્યાત્મલક્ષી હતો, પુરુષ કે સ્ત્રી હોવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારૂં પુરુષ કે સ્ત્રી હોવું એ મૂળભૂત રીતે માત્ર શારીરિક છે. જો ભૌતિકતાથી ઉપર કોઈ વસ્તુ તમારી અંદર જીવંત વાસ્તવિકતા બની જાય તો તમે તમારી ભૌતિકતાને ખૂબ જ સરળતાથી સંચાલિત કરી શકો છો.

હજી દુનિયા સ્ત્રી માટે સરળ નથી – તેના શરીરમાં પણ એવી ઘણી ઓછી સ્ત્રીઓ છે  જેઓ સંપૂર્ણ સહેલાઇથી શેરીઓમાં ચાલી શકે છે. બીજી બધી પોતાની માટે વધુ પડતી સભાન છે. જો કોઈ સ્ત્રી તેના શરીરને લઈને એવી આરામદાયક સ્થિતિમાં હોય કે તેને હંમેશાં શરીરના અંગો વિશે સભાન રહેવું ન પડે…

એક સ્ત્રી બનવા માટે, તમારે પુરુષને દૃશ્યથી દૂર લઈ જવાની જરૂર નથી અને એકલા રહેવાનું પસંદ કરવાની જરૂર પણ નથી. તે કોઈ સમાધાન નથી. જો તમારી પસંદગી એકલા રહેવાની છે અને તમે પોતાનામાં જ ખુશ છો, તો તે બરાબર છે, પરંતુ સ્ત્રી બનવા માટે તમારે પુરુષને દૂર કરવાની જરૂર નથી. હકીકતમાં, સ્ત્રીને અભિવ્યક્તિ આપવા માટે તમારે પુરુષના વરખની જરૂર છે.

જો તમે એકલા રહો છો, તો તમારે જાતે જ તમારા અસ્તિત્વની કાળજી લેવી પડશે. રોજીની તમારી અસ્તિત્વની લડાઈમાંતમે સ્ત્રી હોવાનો શું અર્થ  થાય છે તે ધીમે ધીમે ભૂલી શકો છો કારણ કે જ્યાં સુધી તમે પોતાને સખત નહીં કરો અને પોતાના માર્ગના અવરોધ નહીં હટાવો, ત્યારે પુરૂષોની સમસ્યા તમારી સમસ્યા બની જાય છે. થોડા સમય પછી તમે સ્ત્રી હોવાનો અર્થ શું છે તે સંપૂર્ણપણે ભૂલી જશો.

સ્ત્રી હોવાનો મૂળભૂત અર્થ છે કે તે અસ્તિત્વની પ્રક્રિયા દ્વારા સંચાલિત થતી નથી. તે આરામ કરી શકે છે અને તેની આજુબાજુની વસ્તુઓનો આનંદ લઈ શકે છે. પુરૂષને પણ આની જરૂર છે. તે જે પણ કમાય છે, તેની અસ્તિત્વની પ્રક્રિયા ગમે તે હોય, તેને ઘરે આવવાની અને આરામ કરવાની જરૂર હોય છે, અને સ્ત્રી વગર તે આરામ કરવામાં અસમર્થ છે. જો તે બધા પુરુષો વચ્ચે હોય, તો તે હંમેશા સંચાલિત રહેશે – પરંતુ થોડુંક સંચાલન જરૂરી છે, નહીંતર  વસ્તુઓ થશે નહીં.

તેથી આ આરામ અને સંચાલન વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. અહીં જ પુરુષત્વ અને સ્ત્રીત્વ, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યક્તિગતરીતે લોકો અન્ય વ્યક્તિને પોતાના જીવનમાં લાવે છે કે નહીં તે એક વ્યક્તિગત પસંદગી છે, પરંતુ સામાજિક રીતે માનવતાની દ્રષ્ટિએ, સ્ત્રી પ્રકૃતિને પુરુષ પ્રકૃતિ જેટલી જ અભિવ્યક્તિ મળે તે ઘણું મહત્વપૂર્ણ છે. જેવી રીતે  આપણે ઘણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો બનાવ્યા છે,તેવી જ રીતે આપણે ઘણા કલાકારો અને સંગીતકારો પણ બનાવવા પડશે. જો આપણે ફક્ત એક જ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું તો  વસ્તુઓ ચાલતી રહેશે, પરંતુ તે વિશ્વનો નાશ કરશે.

આજે દુનિયા ફક્ત એટલા માટે બચી રહી છે કેમ કે વિશ્વના પચાસ ટકા લોકો સુસ્ત છે. તે આળસુ લોકો છે જેઓ આ ગ્રહને બચાવી રહ્યા છે. ઉપલબ્ધ ટેકનૉલોજીથી, જો બધા 7 અબજ લોકો પોતાને સંપૂર્ણ પણે સંચાલિત કરતા આલ્ફા નર બનાવે, તો આ ગ્રહ વધુ લાંબુ ટકશે નહીં. દુ:ખની વાત છે કે માનવ સુસ્તી, આ ગ્રહને બચાવી રહી છે. માનવીય બુદ્ધિ નહી, માનવીય પ્રેમ નહી, માનવીય કરુણા પણ નહી – માનવીય સુસ્તી વિશ્વને બચાવી રહી છે. જો સ્ત્રીત્વ અને પૌરૂષત્વને સમાન અભિવ્યક્તિમળે તો માનવીય સમજ ગ્રહને ચોક્કસપણે બચાવી શકે.

  • સદગુરૂ જગ્ગી વાસુદેવ

(ઇશા ફાઉન્ડેશનના સ્થાપક-પ્રણેતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

 

કોઈપણ ડિટર્જન્ટ વગર તમે તમારા મનને શુદ્ધ રાખી શકો…

$
0
0

કોઈ તમારી પ્રશંસા કરે છે, ત્યારે તમને કેવો અનુભવ થાય છે? અને કોઈ સતત અને વારંવાર તમારી પ્રશંસા કરે છે ત્યારે? તમે એમને સઘળું આપવા માટે તૈયાર થઇ જાઓ છો. એમની કોઈ ભૂલ પ્રત્યે પણ તમે બહુ ધ્યાન આપતા નથી. એ વ્યક્તિને તમે પરમ મિત્ર માનો છો. સંસ્કૃતમાં એક શ્લોક છે, જે કહે છે, તમારા શત્રુઓ કરતાં પણ તમારા મિત્રો પ્રત્યે વધુ સાવધ રહો. કારણ શત્રુ તો શત્રુ છે જ, તમે સાવધાની રાખશો જ, પણ તમારો મિત્ર ક્યારેક તમારા મનમાં અજાણપણે નકારાત્મકતાનાં બીજ રોપી દેશે અને એ કદાચ તમને ખોટા રસ્તે પણ દોરી જઈ શકે છે. એટલે, પ્રશંસાનો સજાગતાપૂર્વક સ્વીકાર કરો.

કોઈ તમારું અપમાન કરે ત્યારે તમારી શું પ્રતિક્રિયા હોય છે? અપમાન કરનાર વ્યક્તિથી તમે દૂર રહેવા ઈચ્છો છો. પરંતુ કબીરજી કહે છે કે જે તમારી નિંદા અને અપમાન કરે તેને સહુથી વધુ નિકટ રાખવા જોઈએ. કારણ તેઓ સતત તમારી ભૂલો બતાવે છે અને એ રીતે તેઓ તમારામાં આવશ્યક પરિવર્તન લાવે છે. તેમના સહવાસથી કોઈપણ ડિટર્જન્ટ વગર તમે તમારા મનને શુદ્ધ રાખી શકો છો. તો ટીકાઓથી ડરો નહી.

જયારે કોઈ તમારા પર દોષારોપણ કરે છે, ત્યારે તમે શું કરશો? સંતુલન ખોઈને, ગુસ્સાથી તમે વિરોધ કરશો તો શું તેઓ સમજી જશે? દ્રઢતાપૂર્વક અને શાંતિથી એમને ટૂંકમાં કહો કે “જુઓ, આ મારી ભૂલ નથી.” છતાં પણ તેઓ સમજવા તૈયાર ન હોય તો આખી બાબતની અવગણના કરો. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ દોષારોપણ કરે છે, અંતતઃ તેને જ હાનિ પહોંચે છે. તો કહો કે ” જુઓ, તમે જે કહી રહ્યા છો, તે સત્ય નથી. તો દોષારોપણ ન કરો, કારણ એ તમને હાનિ પહોંચાડી શકે છે.”  અને ત્યાર બાદ સ્વીકારો કે વિશ્વમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય ધરાવવાની સ્વતંત્રતા છે. તમારું નિયંત્રણ તમારી જાત પૂરતું જ સીમિત છે. અન્યના અભિપ્રાય ઉપર તમારું નિયંત્રણ નથી. તો તેમને સત્ય જણાવો, તેઓ એ સત્ય ન સ્વીકારે તો નિર્લેપ રહો.

આલોચના, નિંદા અને અપમાનનો સ્વીકાર કરી શકવાની તમારી ક્ષમતા જ તમારી સમજ, શાણપણ, બુદ્ધિમત્તા અને સ્થિરતાનો પરિચય આપે છે. જો આ ક્ષમતા કેળવાઈ નથી, તો કોઈ પણ વ્યક્તિ એક નાની એવી ટિપ્પણી કે ટીકા કરીને અથવા તો દોષારોપણ કરીને તમારું સંતુલન ખોરવી શકે છે.

વિશાળ દ્રષ્ટિકોણ રાખો. સન્માન અને અપમાન બંને સંજોગોમાં સમત્વ રાખો. જાણી લો કે તમે અનન્ય છો અને પૃથ્વી પર તમારું અસ્તિત્વ અમૂલ્ય છે. જે કાર્ય તમારે પાર પાડવાનાં છે તે તમારા સિવાય કોઈ જ કરી શકશે નહિ. પ્રશંસા અને નિંદા બંનેથી પર થઈને આગળ વધો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

Viewing all 704 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>